04 April, 2022 10:00 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
અમદાવાદમાં શાહીબાગસ્થિત સ્વામીનારાયણ મંદિરમાં દર્શન કરતા આમ આદમી પાર્ટીના નેતાઓ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી વહેલી યોજાશે એવી અટકળો વચ્ચે ગુજરાત બીજેપી પ્રમુખ સી. આર. પાટીલ દિલ્હી પહોંચ્યા છે. તેઓ બીજેપીના કેન્દ્રીય નેતૃત્વની સાથે વહેલી ચૂંટણી યોજવા વિશે ચર્ચા કરવા માટે જ ગયા હોવાનું મનાય છે. પોલિટિકલ પાર્ટીઓએ પણ રાજ્યમાં તેમની તૈયારીઓને વધારી દીધી હોય એમ જણાય છે. બીજી તરફ પાટીદાર અગ્રણી નરેશ પટેલ રાજકારણમાં જોડાઈ રહ્યા હોવાની અટકળો છે. એવામાં તેમણે ગઈ કાલે ખોડલધામમાં કોળી સમાજના આગેવાનોની સાથે બેઠક કરી હતી, જેના કારણે તેઓ રાજકારણમાં એન્ટ્રી માટે ઍક્ટિવ થઈ ગયા હોવાનું જણાઈ રહ્યું છે. આ બેઠક બાદ કોળી સમાજના માંધાતા ગ્રુપના પ્રમુખ રાજુભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે નરેશ પટેલ જેવી વ્યક્તિએ ચોક્કસ જ રાજકારણમાં આવવું જોઈએ.
તાજેતરમાં આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ પણ ગુજરાતમાં આવ્યા હતા. તેમણે અમદાવાદમાં તિરંગા યાત્રા યોજીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું.