બુલેટ ટ્રેન પ્રોજેક્ટ કેમ બંધ ન કરવો? સરકાર ખુલાસો આપેઃ સુપ્રીમ કોર્ટ

18 January, 2020 11:33 AM IST  |  Ahmedabad

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ કેમ બંધ ન કરવો? સરકાર ખુલાસો આપેઃ સુપ્રીમ કોર્ટ

બુલેટ ટ્રેન

કેન્દ્ર સરકારના હાઈ સ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને દક્ષિણ ગુજરાતના ૫૯ ખેડૂતોએ સુપ્રીમ કોર્ટમાં ધા નાખતાં સુનાવણી દરમ્યાન કોર્ટે આ પ્રોજેક્ટ બંધ કેમ ન કરવો? એને લઈને કેન્દ્ર સરકાર, ગુજરાત સરકાર અને બુલેટ પ્રોજેક્ટ કંપનીને નોટ‌િસ ફટકારી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને જે જમીન સંપાદન થઈ રહી છે એનો દક્ષિણ ગુજરાતના ખેડૂતો જોરશોરથી વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોએ જમીન સંપાદનની કાર્યવાહી ગેરબંધારણીય હોવાનું જણાવીને આ પ્રોજેક્ટ મલ્ટ‌િ સ્ટેટ પ્રોજેક્ટ હોવાથી કેન્દ્ર સરકારના કાયદા મુજબ જ જમીન સંપાદન થવી જોઈએ.

આ વાત સાથે દક્ષિણ ગુજરાતના સુરત, ભરૂચ, નવસારી, વલસાડના ૫૯ ખેડૂતોએ સુપ્રીમ કોર્ટમાં ધા નાખી હતી. ખેડૂતોએ માગ કરી હતી કે જ્યાં સુધી કેન્દ્ર સરકારના કાયદા મુજબ જમીન સંપાદન નહીં થાય ત્યાં સુધી બુલેટ પ્રોજેક્ટની કામગીરી કરી રહેલા હાઈ સ્પીડ રેલ કૉર્પોરેશને અત્યારે તમામ કામગીરી બંધ કરી દેવી જોઈએ.

આ પણ વાંચો : કોલ્ડ વેવથી રાજ્ય ઠૂંઠવાયું, પાંચ ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડું શહેર

આગામી ૨૧ માર્ચે વધુ સુનાવણી રખાઈ હોવાની માહિતી ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખે આપી છે. તેમના જણાવ્યા મુજબ સુપ્રીમ કોર્ટે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ઘણીબધી વિસંગતતાઓ હોવાનું ધ્યાનમાં લઈ આ નોટ‌િસ ઇશ્યુ કરી છે. ખેડૂત તરફે આનંદ યાજ્ઞિક અને કપિલ સિબ્બલ હાજર રહ્યા હતા.

gujarat ahmedabad