અમદાવાદમાં બીઆરટીએસ બસમાં આગ, પણ સમયસૂચકતાના લીધે જાનહાનિ નહીં

17 September, 2022 11:03 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

બસમાંથી ધુમાડો નીકળતાં જ બસ-સ્ટૅન્ડ પરના સ્ટાફે બસમાં બેઠેલા પચીસ પૅસેન્જરોને ઉતારી દીધા હતા અને આખું બસ-સ્ટૅન્ડ ખાલી કરાવ્યું હતું.

અમદાવાદમાં બીઆરટીએસ બસમાં આગ, પણ સમયસૂચકતાના લીધે જાનહાનિ નહીં

ગુજરાતમાં અમદાવાદમાં ગઈ કાલે સવારે સાડાઆઠ વાગ્યે મેમનગર બસ-સ્ટૅન્ડ પર બીઆરટીએસની બસ અચાનક ભડભડ સળગતાં ભયનું લખલખું ફરી વળ્યું હતું. આ બસ જેવી બસ-સ્ટૅન્ડમાં આવી ત્યારે પહેલાં બસની બ્રેક ડાઉન થઈ હતી અને પછી એન્જિનમાંથી ધુમાડો નીકળ્યો હતો. બસમાંથી ધુમાડો નીકળતાં જ બસ-સ્ટૅન્ડ પરના સ્ટાફે બસમાં બેઠેલા પચીસ પૅસેન્જરોને ઉતારી દીધા હતા અને આખું બસ-સ્ટૅન્ડ ખાલી કરાવ્યું હતું. બીજી તરફ બસ સળગી ઊઠી હતી. બસ સળગી ઊઠી, પણ પૅસેન્જર સહિતનો સ્ટાફ બસ-સ્ટૅન્ડની બહાર નીકળી જતાં સદ્નસીબે સમયસૂચકતાથી કોઈ જાનહાનિ થઈ નહોતી. આ ઘટનાની જાણ ફાયર વિભાગને થતાં ફાયર-બ્રિગેડની ટીમે આવીને આગ ઓલવી હતી.

gujarat gujarat news ahmedabad