ગુજરાતમાં જનતાના એકત્રિત થવા પર રોક, પણ નેતાઓનો કાર્યક્રમ બેરોકટોક

09 April, 2021 11:05 AM IST  |  Mehsana | Gujarati Mid-day Correspondent

નવનિર્મિત પ્રવેશદ્વારનું નીતિન પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું ત્યારે સમારંભમાં મોટી સંખ્યામાં મહેમાનોની હાજરી

સમારંભમાં મોટી સંખ્યામાં મહેમાનોની હાજરી

ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલની આ તસવીરો ગઈ કાલથી વાઇરલ થઈ છે. એક તરફ કોરોના વાઇરસની નવી લહેરને ધ્યાનમાં રાખીને નિયંત્રણો લાગુ કરે છે, નવાં પગલાં લે છે, નેતાઓ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સની વાતો કરે છે ત્યાં બીજી બાજુ રોષે ભરાયેલા લોકોમાં એવી ચર્ચા છે કે રાજ્ય સરકાર લોકોને ભેગા થવાની ના પાડે છે પણ પોતાના સમારંભોમાં મોટી સંખ્યામાં લોકોને એકિત્રત થવા દે છે. મહેસાણા જિલ્લાના દેલોલી ગામ ખાતે નવનિર્મિત પ્રવેશદ્વારનું નીતિન પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું ત્યારે સમારંભમાં મોટી સંખ્યામાં મહેમાનોની હાજરી ચર્ચાસ્પદ થઈ હતી.

coronavirus covid19 gujarat gujarat news