સરકાર જુલાઈ-ઑગસ્ટમાં વૅક્સિનેશનની ગતિ વધારશે: અમિત શાહ

22 June, 2021 11:42 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

અમિત શાહે ગઈ કાલે અમદાવાદમાં એક રસીકરણ કેન્દ્રની મુલાકાત વખતે પત્રકારોને કહ્યું હતું

અમિત શાહ

કેન્દ્ર સરકારે જુલાઈ-ઑગસ્ટમાં કોવિડ-19 વિરોધી રસીકરણની ગતિ વધારવાનો નિર્ણય લીધો છે, એમ જણાવતાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગઈ કાલે અમદાવાદમાં એક રસીકરણ કેન્દ્રની મુલાકાત વખતે પત્રકારોને કહ્યું હતું કે ૧૮ વર્ષ તેમ જ એના કરતા વધુ વયજૂથના નાગરિકોને મફત રસી પૂરી પાડવાના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિર્ણયને પગલે અમે દેશના તમામ નાગરિકોને ઝડપથી રસી આપવાનો લક્ષ્યાંક રાખ્યો છે.

અમિત શાહે દેશમાં રસીકરણને પાત્ર ૧૮ વર્ષથી વધુ વયના તમામને મફતમાં રસી આપવાના નિર્ણયને આવકારતાં કહ્યું હતું કે ગઈ કાલથી વડા પ્રધાનની આગેવાની હેઠળ દેશમાં કોવિડ-19 સામેની લડતની નવી શરૂઆત થઈ છે.

gujarat ahmedabad amit shah