અમદાવાદ પ્લેન ક્રૅશના પીડિતોની મદદે ઇન્ડિયન આર્મી, 300 જવાનોએ કર્યું રક્ત દાન

14 June, 2025 07:09 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

ભારતીય સેનાના કમાન્ડરોએ પણ આ અભિયાનમાં ભાગ લીધો હતો, યુદ્ધભૂમિની બહાર રાષ્ટ્રીય સેવા પ્રત્યે સશસ્ત્ર દળોના સમર્પણના પ્રતીક તરીકે રક્તદાન કર્યું હતું. દાન અભિયાન સ્થાનિક હૉસ્પિટલો અને ઈમરજન્સી સેવાઓ સાથે સંકલનમાં હાથ ધરવામાં આવી રહ્યું છે.

અમદાવાદના લશ્કરી છાવણી ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું (તસવીર: મિડ-ડે)

ગુજરાતના અમદાવાદમાં વિનાશક ઍર ઇન્ડિયા AI-171 વિમાન દુર્ઘટમાં જખમી થયેલા લોકોને મદદ કરવા માટે ભારતીય સેના ફરી એક વખત આગળ આવી છે. ભારતીય સેનાએ ફ્લાઇટ દુર્ઘટનામાં જખમી થયેલા લોકોને મદદ કરવા માટે અમદાવાદના લશ્કરી છાવણી ખાતે મોટા પાયે રક્તદાન શિબિર શરૂ કરવામાં આવી છે.

અમદાવાદની હૉસ્પિટલોમાં દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોની સારવાર કરવામાં આવી રહી છે. આ સારવારને લીધે શહેરની હૉસ્પિટલો અને બ્લડ બૅન્કોમાં લોહીના પુરવઠાની અછત જણાઈ રહી છે, જેને પગલે 300 જેટલા ભારતીય જવાનો કર્મચારીઓ સ્વેચ્છાએ રક્તદાન કરવા આગળ આવ્યા છે. ભારતીય સેનાના કમાન્ડરોએ પણ આ અભિયાનમાં ભાગ લીધો હતો, યુદ્ધભૂમિની બહાર રાષ્ટ્રીય સેવા પ્રત્યે સશસ્ત્ર દળોના સમર્પણના પ્રતીક તરીકે રક્તદાન કર્યું હતું. દાન અભિયાન સ્થાનિક હૉસ્પિટલો અને ઈમરજન્સી સેવાઓ સાથે સંકલનમાં હાથ ધરવામાં આવી રહ્યું છે, જેથી એકત્રિત રક્ત સમયસર દર્દીઓ સુધી પહોંચે તે સુનિશ્ચિત થાય.

દરમિયાન, અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં દુ:ખદ ઍર ઇન્ડિયા ફ્લાઇટ AI-171 દુર્ઘટનાના પીડિતોને ઓળખવાની પ્રક્રિયા ચાલુ છે, જ્યાં મૃતદેહોને પોસ્ટમોર્ટમ તપાસ માટે લાવવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં, પાંચ મૃતદેહોની ઓળખ કરવામાં આવી છે અને તેમને સન્માનપૂર્વક તેમના પરિવારોને સોંપવામાં આવ્યા છે. આમાં રાજસ્થાનના બે, ભાવનગરના બે અને મધ્યપ્રદેશનો એક મૃતદેહનો સમાવેશ થાય છે.

અમદાવાદમાં જીવન બચાવો અભિયાન શરૂ

અમદાવાદની હૉસ્પિટલો એક મોટા પડકારનો સામનો કરી રહી છે, અને આ મહત્ત્વપૂર્ણ દાન જીવન બચાવવા અને ઘાયલોને ટેકો આપવા માટે જરૂરી છે. જો તમે સક્ષમ હોવ, તો કૃપા કરીને રક્તદાન કરવાનું વિચારો. આ મુશ્કેલ સમયમાં તમારું યોગદાન અમાપ તફાવત લાવી શકે છે.

હાલમાં આ કેન્દ્રો રક્ત દાન સ્વીકારી રહ્યા છે જેની માહિતી નીછે મુજબ છે

૧. યુ. એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર

રૂમ નં. ૧૧૦, પહેલો માળ, એ બ્લૉક

સંપર્ક: ૯૩૧૬૭૩૨૫૨૪

૨. આઇએચબીટી વિભાગ, સિવિલ હૉસ્પિટલ (૧૨૦૦ બેડ)

બીજો માળ, સિવિલ હૉસ્પિટલ

સંપર્ક: ૯૪૨૮૨૬૫૪૦૯

૩. આઇકેડીઆરસી બ્લડ સેન્ટર

પહેલો માળ, આઇકેડીઆરસી હૉસ્પિટલ, મંજુશ્રી મિલ રોડ, બાલિયા લીમડી

સંપર્ક: ૦૭૯૨૨૬૮૭૫૦૦ (એક્સ્ટેંશન ૪૨૨૬)

૪. જીસીઆરઆઈ બ્લડ સેન્ટર

પહેલો માળ, ગુજરાત કૅન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ

સંપર્ક: ૦૭૯૨૨૬૮૮૦૨૬

દરેક દાન મહત્ત્વપૂર્ણ છે. ચાલો આ ગંભીર દુર્ઘટનાથી પ્રભાવિત લોકોને ટેકો આપવા માટે એક સમુદાય તરીકે સાથે આવીએ. જો તમને કોઈ મદદની જરૂર હોય, તો કૃપા કરીને વોટ્સઍપ ગ્રુપ પર મૅસેજ કરો જે ખાસ કરીને હેલ્થકેર પ્રોફેશનલ્સ દ્વારા ચલાવવામાં આવે છે: https://lnkd.in/gbbRm9jV અથવા AGENDA+HEALTH ને DM કરો.

indian army ahmedabad plane crash air india gujarat news national news