અમદાવાદઃપતિએ પોલીસ સ્ટેશન પહોંચી કહ્યું,'મેં મારી પત્નીની હત્યા કરી છે'

08 May, 2019 07:18 PM IST  |  અમદાવાદ

અમદાવાદઃપતિએ પોલીસ સ્ટેશન પહોંચી કહ્યું,'મેં મારી પત્નીની હત્યા કરી છે'

અમદાવાદમાં હત્યાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમદાવાદના ગોમતીપુરમાં પતિએ પત્નીની હત્યા કરી નાખી. હત્યા બાદ આરોપી પતિ પોતે જ પોલીસ સ્ટેશન પહોંચ્યો અને હત્યાની કબુલાત પણ કરી લીધી. મળતી માહિતી મુજબ ગોમતીપુરમાં આરોપી પતિએ પત્નીના આડા સંબંધ હોવાના આરોપીમાં પત્નીના ગળા પર બ્લેડ ફેરવીને હત્યા કરી નાખી.

હત્યા બાદ આરોપી પતિએ પોતાના કપડા ધોયા અને પછી પોતાના પુત્રને લઈ માતા-પિતાના ઘરે પહોંચ્યો. માતાપિતાના ઘરે દીકરાને મુકી આરોપી પતિ જાતે જ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો. મળતી માહિતી પ્રમાણે સંજય પરમાર જે ગોમતીપુરના ગરીબ આવાસ યોજનામાં રહે છે, તે લોડિંગ રિક્ષા ચલાવીને પોતાનું ગુજરાત ચલાવે છે. 2009માં તેણે અરુણા દંતાણી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. બંનેએ કોર્ટ મેરેજ કર્યા હતા.

લગ્ન બાદ તેઓ હસી ખુશીથી સાથે રહેતા હતા. જો કે એક દિવસ અચાનક સંજયે બપોરે અરુણાને કોઈની સાથે વાત કરતા જોઈ. પરંતુ અરુણાએ તેને કોઈ સાથે વાત ન કરતી હોવાનું કહ્યું. બંને વચ્ચે ઝઘડો થયો. 15 દિવસ બાદ ફરી આ જ ઘટના થતા સંજયે તેનો ફોન તોડી નાખ્યો હતો. અને નવો ફોન અપાવ્યો હતો.

આ પણ વાંચોઃ રાજકોટઃ મનપાના નિર્ણયના વિરોધમાં કોર્ટ સુધી જવાની ચીચોડાવાળાઓની ચીમકી

27 એપ્રિલે સંજયે અરુણાને બિગ બજાર પાસે મળવા બોલાવી. ત્યારે અરુણા પાસેથી બીજો મોબાઈલ મળી આવ્યો હતો. તે દિવસે પણ ઝઘડો થતા અરુણા સંજયના ઘરેથી દીકારાને લઈ ચાલી ગઈ હતી. આ દરમિયાન ગઇકાલે રાત્રે 12.30 વાગ્યે અરૂણાએ સંજયને ફોન કરી હું ગીતા મંદિર છું અને દીકરો પણ છે તમે મને તેડી જાવ. જેથી ભાડાની રિક્ષા કરી સંજય ગીતા મંદિર જઇ તેડી લાવ્યો હતો. ઘરે આવ્યા બાદ સંજયે પ્રેમી વિશે પૂછપરછ કરતા ફરી તેમના વચ્ચે ઝઘડો થયો હતો અને ઝપાઝપી થઇ હતી. સંજય આ ઘટનાથી એટલો ગુસ્સે થયો કે અરુણાના ગળા પર બ્લેડ ફેરવીને હત્યા કરી નાખી.

gujarat ahmedabad Crime News