અમદાવાદઃ ગમખ્વાર અકસ્માતમાં એકનું મોત, કારચાલકે 5 વાહનોને લીધા અડફેટે

22 April, 2019 08:05 AM IST  |  અમદાવાદ

અમદાવાદઃ ગમખ્વાર અકસ્માતમાં એકનું મોત, કારચાલકે 5 વાહનોને લીધા અડફેટે

પ્રતીકાત્મક તસવીર

અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. મોડી રાત્રે અમદાવાદમાં એક કારચાલકે એક સાથે 5 વાહનોને અડફેટે લઈ લીધા. જાણે રસ્તા પર અકસ્માત સર્જવા જ નીકળ્યો હોય તેમ આ કારચાલકે એક બાદ એક 5 વાહનોને ટક્કર મારી.

મળતી માહિતી મુજબ ઘટના અમદાવાદના શાંતિપુરા સર્કલ પાસે બની છે. જેમાં એક કાર ચાલકે બેફામ રીતે કાર હંકારી 5 વાહનોને ટક્કર મારી. આ અકસ્માતમા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, તો 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

ઘટના રવિવારે રાત્રે 8 વાગ્યાની આસપાસ બની હતી. જેમાં કારચાલકે બેફામ રીતે કાર હંકારી અને 1 વ્યક્તિનો ભોગ લીધો. કારચાલકે બેફામ રીતે કાર ચલાવીને એક રિક્ષા, એક બાઈક, કાર સહિત 5 વાહનોેન અડફેટે લીધા. અકસ્માતમાં 5 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે.

આ પણ વાંચોઃHeritage Day:જુઓ દેશના પહેલા Heritage City અમદાવાદના રૅર-અનસીન ફોટોઝ

અકસ્માતની માહિતી મળતા જ પોલીસ અને 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા, જો કે એક વ્યક્તિનું હોસ્પિટલ પહોંચતા પહેલા રસ્તામાં જ મોત નીપજ્યું હતું.

અકસ્માત બાદ સ્થાનિકોએ કારચાલકને ધોલધપાટ કરીને પોલીસને હવાલે કર્યો હતો. ગુસ્સે ભરાયેલા લોકોએ કારમાં તોડફોડ પણ કરી હતી.

ahmedabad gujarat news