કેજરીવાલની અમદાવાદમાં રિક્ષા-સવારી

13 September, 2022 09:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અરવિંદ કેજરીવાલ ગઈ કાલે રાતે અમદાવાદમાં રિક્ષાચાલક વિક્રમભાઈના ઘરે તેમની રિક્ષામાં બેસીને જમવા જઈ રહ્યા હતા

અમદાવાદમાં કેજરીવાલની રિક્ષા-સવારી

આમ આદમી પાર્ટી (એએપી-આપ)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ ગઈ કાલે રાતે અમદાવાદમાં રિક્ષાચાલક વિક્રમભાઈના ઘરે તેમની રિક્ષામાં બેસીને જમવા જઈ રહ્યા હતા ત્યારે રિક્ષાને અટકાવીને રિક્ષામાં ડ્રાઇવરની બાજુમાં એક પોલીસ-કર્મચારી બેસી ગયો હતો. રિક્ષાની આસપાસ બે પોલીસ વેહિકલના એસ્કોર્ટ સાથે અરવિંદ કેજરીવાલને રિક્ષાચાલકના ઘરે લઈ જવામાં આવ્યા હતા. અરવિંદ કેજરીવાલ સાથે ગોપાલ ઇટાલિયા, ઈશુદાન ગઢવી રિક્ષાચાલક વિક્રમભાઈ સાથે તેમના ઘરે બેસીને જમ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગઈ કાલે અમદાવાદમાં અરવિંદ કેજરીવાલે રિક્ષાચાલકો સાથે સંવાદ કર્યો હતો એ સમયે રિક્ષાચાલક વિક્રમભાઈએ અરવિંદ કેજરીવાલને તેમના ઘરે જમવા આવવાનું આમંત્રણ આપ્યું હતું જેનો કેજરીવાલે સ્વીકાર કર્યો હતો.

gujarat gujarat news ahmedabad gujarat elections aam aadmi party arvind kejriwal