સુરતના એક જ પરિવારના પાંચ સભ્યોનાં રહસ્યમય મોત : હત્યા કે આત્મહત્યા?

18 March, 2019 09:20 AM IST  |  સુરત | રશ્મિન શાહ

સુરતના એક જ પરિવારના પાંચ સભ્યોનાં રહસ્યમય મોત : હત્યા કે આત્મહત્યા?

પ્રતીકાત્મક તસવીર

ગઈ કાલે સુરત જિલ્લાના બારડોલી પાસે આવેલી મઢી કૅનલમાંથી મારુતિ સુઝુકીની ઇકો કાર મળી હતી જેમાં એક જ પરિવારના પાંચ સભ્યોના મૃતદેહ પણ મળ્યા હતા. પ્રાથમિક દૃષ્ટિએ કાર સાથે ડૂબી જવાથી મોત થયાનું તારણ નીકળતું હતું પણ તપાસ કરતાં ખબર પડી કે કારમાં જે ફૅમિલી છે એ સુરત પાસે આવેલા વ્યારા ગામના ધર્મેશ ગામિતનો પરિવાર હતો અને ધર્મેશભાઈ છેલ્લા સોળ દિવસથી ચાર વર્ષની દીકરી, વાઇફ અને મમ્મી-પપ્પા સાથે ગાયબ છે. પોલીસ અત્યારે બે થિયરી પર કામ કરે છે.

આ પણ વાંચોઃ અમદાવાદ:ઘટલોડિયાની કેલોરેક્સ સ્કૂલમાં ફી મુદ્દે ફરી વિવાદ, વિદ્યાર્થીઓના પરિણામો અટકાવ્યા

એક અનુમાન એવું બાંધવામાં આવે છે કે કારની બ્રેક ફેલ થઈ જવાથી કાર ડૂબી ગઈ હશે અને આ એક આકસ્મિક મોત હશે. ઉઘરાણીવાળાઓની ધમકીઓને ધ્યાનમાં રાખીને બીજી થિયરીમાં ધર્મેશભાઈએ સામૂહિક સુસાઇડ કર્યું હોઈ શકે તો એ દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

gujarat news surat