સચિનમાંથી અપહરણ કરાયેલી કિશોરીને અમદાવાદમાં વેચી

29 December, 2019 09:27 AM IST  |  Surat

સચિનમાંથી અપહરણ કરાયેલી કિશોરીને અમદાવાદમાં વેચી

પ્રતીકાત્મક તસવીર

રાજ્યમાં દિવસેને દિવસે દુષ્કર્મની ઘટનાઓ સામે આવતી જાય છે ત્યારે સુરતના સચિન વિસ્તારમાંથી ગુમ થયેલી ૧૫ વર્ષીય કિશોરી ૬ મહિના પહેલાં કોઈ અજાણી વ્યક્તિને વેચાઈ હતી, જેણે ૬ મહિના સુધી અમદાવાદમાં લાવીને તેના પર દુષ્કર્મ આચર્યું હતું. હાલ સુરત પોલીસે અમદાવાદમાંથી આ વ્યક્તિને ઝડપીને કિશોરીને છોડાવીને આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી છે.

આ પણ વાંચો : તીડથી નુકસાન વેઠનાર ખેડૂતો માટે રાહતઃ હેક્ટર દીઠ 13,500 રૂપિયાની સહાય ચૂકવાશે

સુરતના સચિન વિસ્તારમાં આવેલા જલારામનગરમાંથી ૧૫ વર્ષની કિશોરી ગુમ થયાની ફરિયાદ કિશોરીના માતા-પિતાએ સચિન પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. જેના પગલે સુરત પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરાઇ હતી. આવા સમયે પોલીસને બાતમી મળી હતી કે, એક સગીરા અમદાવાદના સૈજપુર-બોઘા વિસ્તારમાં રહેતા હરીશ ઇશ્વર સોલંકીના ઘરે છે, ત્યારે પોલીસે અમદાવાદ આવીને ઓચિંતી રેડ કરી હતી, જ્યાંથી સુરતની ૧૫ વર્ષીય સગીરા મળી આવી હતી.

gujarat surat Crime News