નટુકાકાને આજે પંચોતેરમા બર્થ-ડેએ શેનો વસવસો?

12 May, 2021 11:54 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના સેટ પર ઘનશ્યામ નાયકની કેક કપાય, પણ આ રૂટીન કોરોનાએ તોડ્યો, જેનું તેમને ભારોભાર દુઃખ છે

ઘનશ્યામ નાયક

સબ ટીવીના સુપરહિટ શો ‘તારક તા મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના નટુકાકા એટલે કે ઘનશ્યામ નાયક આજે પંચોતેર વર્ષના થશે. હા, ઘનશ્યામભાઈનો આજે બર્થ-ડે છે. ઘનશ્યામભાઈની અત્યારે કૅન્સર માટેની સારવાર ચાલે છે.

બર્થ-ડેની પૂર્વસંધ્યાએ નટુકાકાએ કહ્યું કે આ ‘અત્યારના સમયે ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’નો સેટ બહુ યાદ આવે છે. જ્યારથી સિરિયલ ચાલુ થઈ ત્યારથી દર વર્ષે બર્થ-ડેના દિવસે સેટ પર બધા કલાકારોની હાજરીમાં કેક કપાય, પણ કોરોનાકાળમાં એ મીઠી યાદો હવે સ્મરણ બની ગઈ છે. હવે તો બસ, ઘરમાં બેસીને પ્રભુનું નામ લેવાનું અને કોરોનામાંથી જલદી મુક્તિ મળે એ માટેની પ્રાર્થના કરવાની.’

ઘનશ્યામ નાયક અને સિરિયલના પ્રોડ્યુસર આસિત મોદી બન્નેને લાંબા સમયથી સંબંધો છે. આસિત મોદીની સિરિયલ ‘સારથિ’માં પણ ઘનશ્યામ નાયક હતા, એ સમયે ‘સારથિ’ના સેટ પર તેમના સાઠમા જન્મદિવસની કેક કાપવામાં આવી હતી, જે ગયા વર્ષ સુધી અવિરત ચાલુ રહી હતી, પણ કોરોનાએ આ સુખદ રૂટીન તોડ્યું. નટુકાકા કહે છે, ‘આશા રાખીએ આવતા વર્ષે આપણે હતા એમ જ બધા સાથે મળીને આનંદ લેતા થઈ જઈએ.’

entertainment news television news indian television tv show taarak mehta ka ooltah chashmah