શો રુકેગા નહીં : આસિત મોદી

08 August, 2022 05:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માંથી શૈલેશ લોઢાની એક્ઝિટ બાદ તેમણે આવું કહ્યું

આસિત મોદી

કામની વધુ તક ચકાસવા માટે ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ છોડનારા શૈલેશ લોઢાની એક્ઝિટ વિશે અત્યાર સુધી આસિત મોદી અને શૈલેશ લોઢાએ કાંઈ નહોતું કહ્યું. જોકે હવે શોના પ્રોડ્યુસર આસિત મોદીએ ખુલાસો કર્યો છે. આસિત મોદીએ જણાવ્યું કે તેઓ કઈ રીતે ટીમના દરેકને સાથે રાખવા માગે છે, પરંતુ જો કોઈને એમ લાગતું હોય કે તેમણે આ શોમાં ઘણું કરી લીધું છે અને પોતાની ટૅલન્ટને મર્યાદિત રાખવા નથી માગતા અને કામની વધુ તક ચકાસવા માગે છે તો તેમને વિનંતી કરીશ કે એક વાર વધુ વિચાર કરી જુઓ. જોકે તેઓ છોડી જશે તો પણ શો નહીં અટકે. આ અગાઉ દયાનો રોલ કરનાર દિશા વાકાણીએ પણ સિરિયલ છોડી દીધી છે. તે પાછી આવશે એવી અટકળો હંમેશાં ચાલ્યા કરે છે. શો છોડીને જનારા લોકો વિશે આસિત કુમાર મોદીએ કહ્યું, ‘દેખિયે, જૈસે મૈંને પહલે ભી કહા હૈ, મૈં સબકો સાથ મેં જોડકે રખના ચાહતા હૂં. લેકિન અગર કોઈ લોગ આના હી નહીં ચાહતે, ઉનકા પેટ ભર ગયા હો, ઉનકો લગતા હો હમને બહોત કુછ કર લિયા, ઔર કુછ કરના ચાહિયે, હમકો સિર્ફ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ તક સીમિત નહીં રહના, વો નહીં સમઝના ચાહતે, મૈં ફિર ભી ઉનકો કહતા હૂં કી ભાઈ સોચિયે-સમઝિયે. લેકિન અગર નહીં, આયેંગે તો જરૂર, શો રુકેગા નહીં.

entertainment news television news indian television taarak mehta ka ooltah chashmah sab tv