12 January, 2022 06:41 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
જેનિફર મિસ્ત્રી બંસીવાલ (ફાઇલ તસવીર)
મોસ્ટ પૉપ્યુલર ટીવી સિરિયલ `તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા` (Taarak Mehta Ka Ooltah Chashmah) જે 2008થી સતત દર્શકોની હોટ ફેવરિટ રહી છે. આ ટીવી સિરિયલમાં એક કરતાં વધુ પાત્રો જોવા મળે છે, જેમાં જેઠાલાલ તરીકે દિલીપ જોશી (Jethalala – Dilip Joshi) થી લઈને બાપુજી તરીકે અમિત ભટ્ટ અને શ્રીમતી રોશન સોઢી (Mrs Roshan Sodhi) તરીકે જેનિફર મિસ્ત્રી બંસીવાલ (Jennifer Mistry Bansiwal) છે.
આજે અમે તમને જેનિફર મિસ્ત્રી બંસીવાલના પતિ મયૂર બંસીવાલની (Mayur Bansiwal) એક એવી વાત જણાવીએ છીએ જે તમે નહીં જાણતા હો. આમ તો મયૂર એક અનુભવી કલાકાર પછે અને ઘણી ટીવી જાહેરાતોમાં જોવા મળી ચૂક્યા છે.
જેનિફરનો પતિ મયૂર પણ ખિલાડી કુમાર કહેવાતા અક્ષય કુમાર સાથે ફિલ્મ `2.0`માં જોવા મળ્યા છે. ફિલ્મમાં મયૂરે પક્ષી રાજનના પિતાની ભૂમિકા ભજવી હતી. ફિલ્મ નિર્માતા શંકર દ્વારા નિર્દેશિત ફિલ્મ 2.0 વર્ષ 2018માં રિલીઝ થઈ હતી અને ફિલ્મે બોક્સ ઓફિસ પર જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. જો રિપોર્ટ્સને ગણતરીમાં લઇએ તો તે પ્રમાણે તો ફિલ્મે હિન્દીભાષી માર્કેટમાં જ 188 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
એટલું જ નહીં, મયુર બંસીવાલ સુશાંત સિંહ રાજપૂતની પ્રખ્યાત ફિલ્મ `M.S. ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી` ((MS Dhoni: The Untold Story) અને સૈફ અલી ખાન સ્ટારર ફિલ્મ બાઝારમાં (Baazaar) દેખાયા છે. જેનિફર મિસ્ત્રી બંસીવાલની વાત કરીએ તો તે `તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા`ની શરૂઆતથી જ આ સીરિયલ સાથે જોડાયેલાં છે.