12 June, 2020 08:20 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
જેઠાલાલ અને દયા બેન
સબ ટીવી પર જોવા મળતો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' દર્શકોનો સૌથી મનપસંદ અને કૉમેડી શૉ રહ્યો છે. આ શૉના બધા કલાકારે દર્શકોના દિલમાં એક અલગ જગ્યા બનાવી લીધી છે. હંમેશા કઈ નવું બતાવીને આ શૉએ દર્શકોનું 12 વર્ષ સુધી મનોરંજન કર્યું છે. હાલ એવા સમાચાર આવી રહ્યા છે કે શૉમાં દયા બેનનું પાત્ર ભજવનારી દિશા વાકાણી પાછી સ્ક્રીન પર જોવા મળશે. તે ઘણા સમયથી શૉથી ગાયબ છે, શૉમાં દયા બેનને લઈને ઘણી અટકળો સામે આવી રહી છે.
એક રિપોર્ટ મુજબ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને 12 વર્ષ પૂર્ણ થયા છે અને શૉના 3000 પૂરા થઈ જશે. સમાચારની માનીએ તો શૉના 12 વર્ષ પૂરા થવા પર સેલિબ્રેશન રાખવામાં આવશે. અને આ ખાસ અવસર પર મેકર્સ ફૅન્સને એક મોટી સરપ્રાઈઝ આપી શકે છે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધ બાદ શૉની શૂટિંગ કરવા જઈ રહ્યા છે. એવા પણ સમાચાર સામે આવી રહ્યા છે કે મેકર્સ દયા બેનને શૉમાં પાછા લાવવમાં માટે કડક મહેનત કરી રહ્યા છે અને એના માટે એમણે દયા બેનને અપ્રોચ પણ કર્યા છે.
આ પણ જુઓ: જુઓ અથાણાં-પાપડ જેવી જ તીખી-મીઠી છે 'તારક મહેતા'ની 'માધવી ભાભી'
જો શૉમાં દયા બેનની વાપસી થાય છે તો ગોકુલધામ સોસાયટીમાં પાછી રોનક જોવા મળશે કારણકે ફૅન્સ પણ ઘણા સમયથી દયા બેનની રાહ જોઈ રહ્યા છે. જણાવી દઈએ કે દિશાએ પોતાની પ્રેગ્નેન્સીના સમયથી શૉથી દૂર ચાલી ગઈ છે. પછી એવા સમાચાર આવ્યા કે દિશા વાકાણીને પાછા શૉમાં લાવવા માટે એમણે મેકર્સ સામે કેટલીક શરતો રાખી છે કે તે દીકરીની સંભાળ કરવા માંગે છે એટલે તે થોડો જ સમય કામને આપશે.