રાજુ શ્રીવાસ્તવની હેલ્થ ખૂબ જ સિરિયસ છે : સુનીલ પાલ

19 August, 2022 01:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેમનું બ્રેઇન ડેડ થઈ ગયું છે અને ડૉક્ટરને પણ ખબર નથી પડી રહી કે શું કરવું

સુનીલ પાલ

કૉમેડિયન સુનીલ પાલનું કહેવું છે કે રાજુ શ્રીવાસ્તવની હેલ્થ ખૂબ જ સિરિયસ છે અને તેનું બ્રેઇન ડેડ થઈ ગયું છે. તેને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યો હોવાની ચર્ચા છે. ૫૮ વર્ષનો રાજુ શ્રીવાસ્તવ હાલમાં દિલ્હીમાં આવેલી ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસમાં ઍડ્મિટ છે. દસ ઑગસ્ટે તેને કાર્ડિઍક અરેસ્ટ આવતાં તેને ત્યાં ઍડ્મિટ કરવામાં આવ્યો હતો. જિમમાં ટ્રે​ડમિલ પર તે દોડી રહ્યો હતો ત્યારે પડી ગયો હતો. રાજુ શ્રીવાસ્તવની હેલ્થ વિશે અપડેટ આપતો એક વિડિયો સુનીલ પાલે શૅર કર્યો છે. આ વિડિયોમાં સુનીલ પાલે કહ્યું કે ‘મહેરબાની કરીને રાજુ શ્રીવાસ્તવ માટે પ્રાર્થના કરો. તેઓ હાલમાં ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. ડૉક્ટરને પણ ખબર નથી પડી રહી કે શું કરવું જોઈએ. મહેરબાની કરીને પ્રાર્થના કરો. તેમનું દિમાગ કામ કરતું બંધ થઈ ગયું છે. મહેરબાની કરી પ્રાર્થના કરો. રાજુભાઈ, જલદી સારા થઈ જાઓ.’

entertainment news indian television television news sunil pal raju shrivastav