દર્શકોની આતુરતાનો આવ્યો અંત: 22 જૂલાઈથી આવશે 'તારક મહેતા'ના નવા એપિસોડ

14 July, 2020 01:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

દર્શકોની આતુરતાનો આવ્યો અંત: 22 જૂલાઈથી આવશે 'તારક મહેતા'ના નવા એપિસોડ

તસવીર સૌજન્ય: સોશ્યલ મીડિયા

કોરોના વાયરસ (COVID-19)ને લીધે લાગૂ કરવામાં આવેલ લૉકડાઉનના નિયમો હળવા કરીને અનલૉકની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે ત્યારથી એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રી પણ પાટે ચડી છે અને સિરિયલોના શૂટિંગ શરૂ થઈ ગયા છે. ત્યારથી દર્શકો નવા એપિસોડની કાગડોળે રાહ જોઈ રહ્યાં છે. સબ ટીવીની લોકપ્રિય સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'નું શૂટિંગ પણ શરૂ થઈ ગયું છે. ત્યારથી દર્શકો આ સિરિયલના નવા એપિસોડ ટેલિકાસ્ટ ક્યારે થશે તેની રાહ જોઈ રહ્યાં હતા. આખરે તેમની આતુરતાનો અંત આવ્યો છે, કારણકે 22 જૂલાઈથી સિરિયલના નવા એપિસોડ આવવાના છે.

આ પણ વાંચો: 'તારક મહેતા'ના જેઠાલાલ 116 દિવસ બાદ આવ્યા સેટ પર, શરૂ કર્યું શૂટિંગ

સબ ટીવીએ ઓફિશ્યલ સોશ્યલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ કરીને જાહેરાત કરી છે, 22 જૂલાઈથી સોમવારથી શુક્રવાર દરરોજ રાત્રે 8.30 વાગ્યે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના નવા એપિસોડ ટેલિકાસ્ટ થશે. 22 જૂલાઈથી ઈન્ડિયા મળશે નવા હિન્દુસ્તાનને.

તમને જણાવી દઈએ કે,'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'નું શૂટિંગ 10 જૂલાઈથી શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શનિવારે એટલે કે 11 જૂલાઈએ  સિરિયલના સૌથી ચહિતા કલાકાર દિલીપ જોષી ઉર્ફે જેઠાલાલ ચંપકલાલ ગડાએ શૂટિંગ કર્યું હતું.

entertainment news indian television television news sab tv taarak mehta ka ooltah chashmah