‘કુંડલી ભાગ્ય’માં એન્ટ્રી માનસી શ્રીવાસ્તવની

29 July, 2021 11:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સોનાક્ષીના કૅરેક્ટરના પૉઝિટિવ ઉપરાંત બીજા શેડ્સ પણ છે અને તેથી જ તેને આ પાત્ર પસંદ પણ પડ્યું છે

માનસી શ્રીવાસ્તવ

‘કુંડલી ભાગ્ય’માં હવે માનસી શ્રીવાસ્તવની એન્ટ્રી થવા જઈ રહી છે. ઝી ટીવી પર આવતા આ શોમાં પ્રીતા (શ્રદ્ધા આર્ય) અને કરણ (ધીરજ ધૂપર) લોકોનું એન્ટરટેઇનમેન્ટ કરી રહ્યાં છે. આ સાથે જ સૃષ્ટિ, સમીર અને પૃથ્વીને પણ લોકો પસંદ કરી રહ્યા છે. આ શો હવે મોટો ટાઇમ-લીપ લઈ રહ્યો છે જેથી કરણ અને પ્રીતાને તેમની નવી જર્નીમાં ગુડ ન્યુઝ મળશે. જોકે આ સાથે જ હવે સોનાક્ષીની પણ એન્ટ્રી થઈ રહી છે. સોનાક્ષી કરણની કૉલેજ ફ્રેન્ડ હોય છે.

સોનાક્ષીનું પાત્ર ભજવનાર માનસીએ કહ્યું હતું કે ‘સોનાક્ષી અને કરણ કૉલેજ ફ્રેન્ડ હોય છે અને તેમની વચ્ચે સારો બૉન્ડ હોય છે. તે પ્રીતાની પણ ખૂબ જ નિકટ આવે છે. આ પાત્રની પૉઝિટિવ સાઇડની સાથે એના અન્ય શેડ્સ પણ છે. એને કારણે આ પાત્ર મને ખૂબ જ પસંદ પડ્યું છે. બાલાજી સાથે આ મારો પહેલો શો છે અને આ નવી શરૂઆત કરવા માટે આ ખૂબ જ સારું પાત્ર છે. ૨૦૧૬માં મેં અને ધીરજે સાથે કામ કર્યું હતું અને ત્યાર બાદ અમે ફરી અત્યારે સાથે કામ કરીશું. તેની સાથે ફરી શૂટ કરવા માટે હું ખુશ છું. હું તેને અને શ્રદ્ધાને ફોટોશૂટ દરમ્યાન મળી હતી. તેમણે મને સારો આવકાર આપ્યો હતો. ટીમના દરેક વ્યક્તિ ખૂબ જ સ્વીટ છે. મારા લુક-ટેસ્ટ દરમ્યાન હું ઘણા લોકોને મળી પણ હતી. આશા રાખું છું કે દર્શકો પણ મને પસંદ કરશે.’

entertainment news indian television television news tv show zee tv harsh desai