આલિશાન બંગલામાં રહે છે જેઠાલાલ, અફવા પર કહ્યું, `આ ઘર મને પણ બતાવો`

16 June, 2021 06:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

દિલીપ જોશીના અનેક ચાહકો છે જે તેમની પર્સનલ લાઇફથી લઈને તેમની લાઇફસ્ટાઇલ વિશે જાણવા માગે છે. પણ અનેક વાર આ બાબતે ફેક ન્યૂઝ પણ સામે આવી છે, જેના પછી દિલીપ જોશીએ આગળ આવીને તેમના પર સમયાંતરે સ્પષ્ટતા પણ કરી છે.

તસવીર સૌજન્ય મિડ-ડે

ટીવી એક્ટર્સની સોશિયલ મીડિયા પર જબરજસ્ત ફેન ફૉલોઇંગ હોય છે. કદાચ ફિલ્મ એક્ટર્સથી પણ વધારે. આમાંને એક છે દિલીપ જોશી, જેમણે દરેક ઘરમાં પોતાની ઓળખ બનાવી છે. ટીવીના પૉપ્યુલર શૉ `તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા`માં જેઠાલાલના પાત્રને ખૂબ જ પસંદ કરવામાં આવે છે. આજે પણ આ પાત્ર એટલું જ લોકપ્રિય છે. પણ જ્યારે વાત આવે છે તેમની પર્સનલ લાઇફની તો આ તેઓ અંગત રાખવામાં જ માને છે. દિલીપ જોશી જલ્દી કોઇની સાથે પોતાની પર્સનલ લાઇફ શૅર કરતા નથી. દિલીપ જોશીના અનેક ચાહકો છે જે તેમની પર્સનલ લાઇફથી લઈને તેમની લાઇફસ્ટાઇલ વિશે જાણવા માગે છે. પણ અનેક વાર આ બાબતે ફેક ન્યૂઝ પણ સામે આવી છે, જેના પછી દિલીપ જોશીએ આગળ આવીને તેમના પર સમયાંતરે સ્પષ્ટતા પણ કરી છે.

ફરી એકવાર દિલીપ જોશી માટે અફવા હતી કે તે આલિશાન બંગલામાં રહે છે. આ ઘરની અંદર એક મોટું સ્વિમીંગ પૂલ છે. આ સમાચાર પર દિલીપ જોશીએ પોતે જ નિવેદન આપ્યું છે અને કહ્યું કે જો આવું છે તો જે લોકોએ અફવા ઉડાડી છે, તે તેમને આ ઘર બતાવે. વર્ષ 2018માં દિલીપ જોશીએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન આ સ્પષ્ટતા કરી હતી.

દિલીપ જોશીએ કહી આ વાત
દિલીપ જોશીએ નેશન નેક્સ્ટ સાથે નાનકડી વાતચીત દરમિયાન કહ્યું હતું કે આ સમાચાર સંપૂર્ણ રીતે ફેક છે. આમાં સહેજ પણ હકીકત નથી. મારા જે નજીકના મિત્રો છે, તે પણ માનવા લાગ્યા છે અને પૂછે છે કે આ વળી કયું ઘર છે ભાઇ? અમને પણ બતાવ. મેં કહ્યું, મારે પણ જોવું છે, જો ક્યાંય મળે તો.

જણાવવાનું કે દિલીપ જોશી ટીવી જગતનો જાણીતો ચહેરો છે. દિલીપ જોશીએ પોતાની શાનદાર કૉમેડી દ્વારા લોકોના મન પર રાજ કર્યું છે. એક્ટરે બૉલિવૂડની પણ મોટી ફિલ્મોમાં કામ કર્યું છે. આ સિવાય તે અનેક ટીવી સીરિયલ્સનો પણ ભાગ રહી ચૂક્યા છે. તેમને સૌથી વધારે સફળતા કૉમેડી શૉ `તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા`માં જેઠાલાલના પાત્ર દ્વારા મળી છે. દરેક ઘરમાં આ પાત્ર જાણીતું છે.

television news dilip joshi taarak mehta ka ooltah chashmah entertainment news indian television