20 January, 2022 10:26 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
શાહિર શેખ અને તેના પિતા (તસવીર સૌજન્ય મિડ-ડે)
પૉપ્યુલર ટીવી અભિનેતા શાહિર શેખે (Shaheer Sheikh) તાજેતરમાં જ ટ્વિટર પર માહિતી આપી હતી કે તેના પિતાને કોરોનાને કારણે સીરિયસ ઇન્ફેક્શન થયું છે અને તે વેન્ટિલેટર પર છે. હવે શાહિરના પિતાનું નિધન (Shaheer Sheikh father passes away) થઈ ગયું છે. એક્ટર અલી ગોનીએ આ વાતની માહિતી આપી છે.
પૉપ્યુલર ટીવી એક્ટર શાહિર શેખ પર દુઃખોનો પહાડ તૂટ્યો છે. અભિનેતાના પિતાનું નિધન થઈ ગયું છે. શાહિર શેખે તાજેતરમાં જ ટ્વિટર દ્વારા જણાવ્યું હતું કે તેમના પિતાને કોરોનાનું સીરિયસ ઇન્ફેક્શન થયું છે. તેમની સ્થિતિ નાજુક છે અને વેન્ટિલેટર પર છે. શાહિર શેખે ચાહકોને અપીલ કરી હતી તે તેમના પિતા માટે પ્રાર્થના કરે.
પણ હવે શાહિર શેખના પિતાનું નિધન થઈ ગયું છે. બુધવારે તેમના પિતાએ અંતિમ શ્વાસ લીધા. આની માહિતી તેના મિત્ર અને અભિનેતા અલી ગોનીએ ટ્વિટર પર આપી. અલી ગોનીએ શાહિર શેખને હિંમત આપતા એક ટ્વીટ કર્યું, જેમાં તેમણે તેમના પિતાની આત્માની શાંતિ માટે પણ પ્રાર્થના કરી.
શાહિર શેખના ચાહકો પણ અભિનેતાને હિંમત આપી રહ્યા છે અને તેમના પિતા માટે પ્રાર્થના કરી રહ્યા છે. જણાવવાનું કે 18 જાન્યુઆરીની રાતે શાહિર શેખે ટ્વીટ કર્યું હતું, "મારા પિતા વેન્ટિલેટર પર છે. સીરિયસ કોવિડ ઇન્ફેક્શનનો સામનો કરી રહ્યા છે. પ્લીઝ તેમની માટે પ્રાર્થના કરો."