ફરી આવી રહ્યા છે 'ગુજ્જુભાઈ',2020માં રિલીઝ થશે સિરીઝની ત્રીજી ફિલ્મ

04 April, 2019 05:43 PM IST  | 

ફરી આવી રહ્યા છે 'ગુજ્જુભાઈ',2020માં રિલીઝ થશે સિરીઝની ત્રીજી ફિલ્મ

ફરી આવી રહ્યા છે ગુજ્જુભાઈ

ગુજ્જુભાઈ ઉર્ફે સિદ્ધાર્થ રાંદેરિયાના ફેન્સ માટે સારા સમાચાર આવ્યા છે. ગુજ્જુભાઈ ધ ગ્રેટ અને ગુજ્જુભાઈ મોસ્ટ વોન્ટેડ બાદ હવે ટૂંક સમયમાં ગુજ્જુ ભાઈ સિરીઝની ત્રીજી ફિલ્મ પણ આવશે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ પ્રમાણે 2020માં ગુજ્જુભાઈ સિરીઝની ત્રીજી ફિ્લમ રિલીઝ થશે. આ ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં જ શરૂ થવા જઈ રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે સિદ્ધાર્થ રાંદેરિયા અને જીમીત ત્રિવેદી સ્ટારર ગુજ્જુ ભાઈ સિરીઝની પહેલી બંને ફિલ્મો લગે રહો ગુજ્જુભાઈ અને ગુજ્જુભાઈ મોસ્ટ વોન્ટેડ બોક્સ ઓફિસ પર સક્સેસફુલ સાબિત થઈ હતી. સાથે જ ગુજ્જુભાઈ પહેલી એવી ફિલ્મ બની ચૂકી છે, જેની સિક્વલ પણ બની હોય. ફિલ્મના પહેલા બંને પાર્ટને ઈશાન રાંદેરિયાએ ડિરેક્ટ કર્યા હતા. અને ત્રીજો પાર્ટ પણ ઈશાન રાંદેરિયા જ ડિરેક્ટ કરવા જઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ ઓજસ રાવલઃ કોમેડીથી હિન્દી સિરિયલ સુધી, આ એક્ટરના નામના વાગે છે ડંકા

ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે થયેલી વાતચીતમાં ઈશાન રાંદેરિયાએ કહ્યું,'પહેલી બે ફિલ્મોને દર્શકોને જે પ્રેમ મળ્યો, તે જોતા અમે ફિલ્મનો ત્રીજો ભાગ બનાવવા તૈયાર થયા છીએ. હાલ અમે કન્સેપ્ટ નક્કી કરી લીધો છે. ટૂંક સયમાં સ્ક્રીપ્ટ પર કામ શરૂ થશે. અમારો પ્લાન 2020માં ફિલ્મ રિલીઝ કરવાનો છે.' ઉલ્લેખનીય છે કે ફિલ્મની સાથે સાથે ગુજ્જુભાઈ સિરીઝના નાટકોના પણ લાખો ફેન્સ છે. ઈશાન રાંદેરિયા સ્વીકારે છે કે સફળ નાટકને ફિલ્મમાં કન્વર્ટ કરવી એ પડકાર જનક હતું. ઈશાનનું કહેવું છે કે,'આ નાટક એક મોટી બ્રાન્ટ બની ચૂક્યુ છે. અને આટલા સફળ પ્રોજેક્ટને લઈ ફિલ્મ બનાવતી વખતે અમારે ખૂબ જ સાવચેત રહેવું પડ્યું. એટલે જ વધુ એક સિક્વલ પર કામ કરતી વખતે અમે ખૂબ મહેનત કરી રહ્યા છીએ.'

gujarat news entertaintment