કોરોનાને મહાત આપીને ઘરે આવી ગયાં તબસ્સુમ

16 April, 2021 12:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેમણે ૧૯૫૧માં આવેલી ‘દીદાર’થી બાળકલાકાર તરીકે કામની શરૂઆત કરી હતી

તબસ્સુમ

કોરોનાને હરાવીને તબસ્સુમ હૉસ્પિટલમાંથી ઘરે આવી ગયાં છે. ૭૬ વર્ષનાં તબસ્સુમને થોડા દિવસો પહેલાં કોરોના થતાં તેમને વધુ સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. તેમણે ૧૯૫૧માં આવેલી ‘દીદાર’થી બાળકલાકાર તરીકે કામની શરૂઆત કરી હતી. ત્યાર બાદ અનેક ફિલ્મોમાં તેમની અદાકારીએ લોકોને તેમના દીવાના બનાવી દીધા હતા. આ સિવાય દૂરદર્શન પર આવતા શો ‘ફૂલ ખિલે હૈં ગુલશન ગુલશન’થી તેઓ સૌથી વધુ પ્રખ્યાત થયાં હતાં. તેમને ઑલ્ઝાઇમર્સ થયો હોવાની વાતને તેમના દીકરાએ ફગાવી દીધી હતી. તેમની તબિયત વિશેની માહિતી આપતાં તેમના દીકરા હોશાંગે કહ્યું હતું કે ‘તેમના ફૅન્સના પ્રેમ અને શુભકામનાઓને કારણે તબસ્સુમ ગોવિલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને તેઓ ઘરે આવી ગયાં છે. તેમણે કોવિડ-19નો હરાવ્યો છે અને એક યોદ્ધા તરીકે પાછાં ફર્યાં છે. ગૉડ ઇઝ ગ્રેટ.’

bollywood news bollywood coronavirus covid19 entertainment news