14 June, 2021 01:21 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સુશાંત સિંહ રાજપૂત
૩૪ વર્ષીય બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)એ ગત વર્ષે એટલે કે ૧૪ જુન ૨૦૨૦ રવિવારના રોજ રવિવારે બાંદ્રા સ્થિત ઘરમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. અભિનેતાની આત્મહત્યાથી ફૅન્સ અને બૉલિવૂડ સેલેબ્ઝ સહુ કોઈ શૉકમાં હતા. અભિનેતાએ દુનિયામાંથી વિદાય લીધી તેને વર્ષ થઈ ગયું છે. છતા હજી પણ બધા આ બાબતને સ્વિકારી શકતા નથી. આજે પ્રથમ પુણ્યતિથીએ બૉલિવૂડ સેલેબ્ઝ સુશાંત સિંહ રાજપૂતને યાદ કરીને ભાવુક થયા છે અને સોશ્યલ મીડિયા પર પોસ્ટ શૅર કરી છે.
સુશાંત સિંહ રાજપૂતની પ્રથમ પુણ્યતિથીએ બૉલિવૂડ અને ટેલિવિઝન સેલેબ્ઝ અને મિત્રો તેને યાદ કરીને ઈમોશનલ તઈ ગયા છે. કોઈએ અભિનેતા સાથે વિતાવેલા સારા સમયને યાદ કર્યો છે તો કોઈએ તેના માટે હજી પણ ન્યાયની માગણી કરી રહ્યું છે.
અભિનેતાની ફિલ્મ ‘સોનચિરૈયા’ની કૉ-સ્ટાર અભિનેત્રી ભુમિ પેડણેકરે સેટ પરની તસવીર શૅર કરી છે અને કૅપ્શનમાં લખ્યું છે કે, ‘તને યાદ કરું છું, તારા સવાલોને અને દરેક વસ્તુને યાદ કરું છું’.
સુશાંતના ખાસ મિત્ર અને તેની છેલ્લી ફિલ્મ દિલ બેચારાના દિગ્દર્શક મુકેશ છાબરાએ તસવીરો શૅર કરીને લખ્યું છે, ‘કશું સરખું લાગતું નથી. તું જે છોડીને ગયો હતો તે હજી બાકી છે. આશા છે કે હું તને ફરી એકવાર મળીશ. મિસ યુ ભાઈ’.
સુશાંત સિંહ રાજપૂતે ફિલ્મમેકર અભિષેક કપૂર સાથે `કાયપો` છે અને `કેદારનાથ` ફિલ્મમાં કામ કર્યું છે. તેઓ આ સમાચારથી હજી પણ સ્તબ્ધ છે.
કૉમેડિયન શેખર સુમને અભિનેતાને યાદ કરીને ટ્વિટર પર તેની માટે ન્યાનની માગણી કરી છે.
અભિનેતા પુલકિત સમ્રાટે સોશ્યલ મીડિયા પર લાંબી નોટ શૅર કરી છે. જેમાં લખ્યું છે કે, ‘સુશાંત સિંહ રાજપૂત તને યાદ કરીએ છીએ’.
અભિનેતા રવિ કિશને લખ્યું છે, ‘ભાઈ મિસ યુ સો મચ...’
બી.આર. ચોપરાની ‘મહાભારત’માં દ્રોપદીની ભૂમિકા ભજવનાર અભિનેત્રી રુપા ગાંગુલીએ લખ્યું છે, ‘તું અમારા દિલ અને પ્રાર્થનાઓમાં હંમેશા રહીશ બેટા’.
ટીવી અભિનેતા અર્જુન બિજલાનીએ સુશાંત સિંહ રાજપૂત સાથેની સેલ્ફી શૅર કરીને લખ્યું છે, ‘મારા મિત્ર તું કરોડો લોકોના દિલમાં જીવંત રહીશ. તું તારી હેપી પ્લેસમાં હેપી હોઈશ એ વાતની મને ખાતરી છે’.
બિગ બૉસ ૧૪ ફૅમ ટીવી અભિનેતા અલી ગોનીએ સુશાંતનું સ્કૅચ સ્ટોરીમાં પોસ્ટ કર્યું છે અને તેણે ઈન્સ્ટાગ્રામ અને વૉટ્સએમાં ડીપી તરીકે સ્વર્ગીય અભિનેતાની તસવીર મુકી છે.
સુશાંત સિંહ રાજપૂતે કાયપો છે, ‘શુદ્ધ દેશી રોમાન્સ’, ‘પીકે’, ‘ડિટેક્ટીવ વ્યોમકેશ બક્ષી’, ‘એમ.એસ. ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટૉરી’, ‘કેદારનાથ’, ‘સોનચિરૈયા’ અને ‘છીછોરે’ ફિલ્મમાં કામ કર્યું છે. અભિનેતાની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ તેના મૃત્યુ પછી રિલીઝ થઈ હતી.