પંદર ઑક્સિજન કૉન્સન્ટ્રેટર્સ દાન કર્યાં અનુરાધા પૌડવાલે

11 May, 2021 01:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નવ મેએ તેમના પતિનો જન્મદિવસ છે અને એ દિવસને તેઓ દર વર્ષે સેલિબ્રેટ કરે છે

અનુરાધા પૌડવાલ

અનુરાધા પૌડવાલે મહારાષ્ટ્ર અને અયોધ્યા મળીને ટોટલ પંદર ઑક્સિજન કૉન્સન્ટ્રેટર્સ દાન કર્યાં છે. નવ મેએ તેમના પતિનો જન્મદિવસ છે અને એ દિવસને તેઓ દર વર્ષે સેલિબ્રેટ કરે છે. જોકે ગયા વર્ષે તેમણે લોકોને મદદ કરીને સેલિબ્રેટ કર્યું હતું અને આ વર્ષે તેમણે લોકોને મદદ કરીને પતિનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો છે. આ સાથે જ તેમનાં બાળકોએ પણ આ મદદ માટે તેમની પૉકેટ-મની આપી હતી. આ વિશે વાત કરતાં અનુરાધાએ કહ્યું હતું કે ‘મદદ કરવા માટે તમારે પૈસાદાર હોવાની જરૂર નથી, ફક્ત તમારી મદદ કરવાની ઇચ્છા હોવી જોઈએ. મહારાષ્ટ્ર અને ઇન્ડિયાની અન્ય હૉસ્પિટલમાં અમે ટોટલ પંદર ઑક્સિજન કૉન્સન્ટ્રેટર્સ ડોનેટ કર્યાં છે. હું લોકોને વિનંતી કરું છું કે તેઓ તેમનાથી બનતી મદદ કરે. મારાં બાળકો નાનાં છે, પરંતુ તેમને ખબર છે કે શું ચાલી રહ્યું છે. તેઓ જ્યારે તેમની પૉકેટ-મની લઈને આવ્યાં ત્યારે હું ખૂબ જ ખુશ થઈ ગઈ હતી.’

entertainment news bollywood bollywood news coronavirus covid19