કવિતા અને શાયરીનો કાર્યક્રમ માટે એક્સાઇટેડ છે શૈલેશ લોઢા

21 June, 2022 02:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ કાર્યક્રમ શેમારુ ટીવી અને વુટ પર દરરોજ રાતે ૯ વાગ્યે દેખાડવામાં આવશે

શૈલેશ લોઢા

શૈલેશ લોઢા તેના આગામી શાયરી અને કવિતાના કાર્યક્રમને રજૂ કરવા માટે ઉત્સાહી છે. આ કાર્યક્રમ શેમારુ ટીવી અને વુટ પર દરરોજ રાતે ૯ વાગ્યે દેખાડવામાં આવશે. આ શોમાં કવિઓ લોકોને પોતાની કવિતાથી મનોરંજન પૂરું પાડશે. ઇમોશન અને લાગણીથી છલોછલ કવિતાના આ શોને શૈલેશ લોઢા પોતાની અનોખી શૈલીથી હૉસ્ટ કરશે. એ શોની એક નાનકડી ઝલક ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને શૈલેશ લોઢાએ કૅપ્શન આપી હતી, ‘મા સરસ્વતી અને બાલા સતીમાના આશીર્વાદે મને હિન્દી કવિતાનું મંચ આપ્યું. જીવનમાં જે કાંઈ પણ બન્યો છું એ કવિતાના મંચથી બન્યો છું. હિન્દી કવિતાનો પુત્ર હોવાથી કવિતા સાથે કોઈ પણ પ્રકારે સંબંધ બાંધવો એ મારા માટે સંતુષ્ટિની સાથે જ નિષ્ઠાનો પણ વિષય છે. ખૂબ જ નમ્રતા સાથે જાહેર કરું છું કે કવિતા અને શાયરીનો એક વિશેષ શો ‘વાહ ભાઈ વાહ’ શેમારુ ટીવી અને વુટ પર દરરોજ રાતે ૯ વાગ્યે દેખાડવામાં આવશે. તમારા સૌના આશીર્વાદ અને સ્નેહનો આકાંક્ષી છું.’

entertainment news indian television television news taarak mehta ka ooltah chashmah