સ્કેમ અભિનેતા મિથિલેશ ચતુર્વેદીનું નિધન, હૃદય સંબંધિત બિમારીથી પીડાતા હતા

04 August, 2022 08:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અભિનેતા ચતુર્વેદી હૃદય સંબંધિત બિમારીથી પીડાતા હતા. તેમણે લખનૌમાં અંતિમ શ્વાસ લીધા.

મિથિલેશ ચતુર્વેદી

લોકપ્રિય પીઢ અભિનેતા મિથિલેશ ચતુર્વેદી (Mithilesh Chaturvedi)નું નિધન થયું છે. ગઈકાલે મોડી સાંજે 3 ઓગસ્ટના રોજ તેમનું અવસાન થયું. અભિનેતા ચતુર્વેદી હૃદય સંબંધિત બિમારીથી પીડાતા હતા. તેમણે લખનૌમાં અંતિમ શ્વાસ લીધા. 

તેમનું નિધન થયું એ પહેલા મિથિલેશને હાર્ટ એટેક આવ્યો હતો. જો કે ત્યાર બાદ તે સંપૂર્ણપણે સ્વસ્થ થવા માટે તેના વતન લખનૌ શિફ્ટ થઈ ગયા હતા.

તે ઘણી જાહેરાતો અને ટીવી શો જેમ કે પટિયાલા બેબ્સ અને સ્કેમ જેવા વેબ શોમાં પણ જોવા મળ્યા હતા, જેમાં તેમણે રામ જેઠમલાણીની ભૂમિકા ભજવી હતી. તેમની છેલ્લી ફિલ્મ અમિતાભ બચ્ચન અને આયુષ્માન ખુરાના સાથે `ગુલાબો સિતાબો` હતી.

bollywood news entertainment news indian television