‘ભૂલભુલૈયા 2’ને ઓટીટી પર રિલીઝ કરતાં બિઝનેસ પર પડશે અસર

19 June, 2022 05:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કાર્તિક આર્યનની ‘ભૂલભુલૈયા 2’ને આજથી ઓટીટી પર રિલીઝ  કરવામાં આવતાં એના બિઝનેસ પર અસર પડી શકે છે.

કાર્તિક આર્યન

કાર્તિક આર્યનની ‘ભૂલભુલૈયા 2’ને આજથી ઓટીટી પર રિલીઝ  કરવામાં આવતાં એના બિઝનેસ પર અસર પડી શકે છે. આ ફિલ્મ બહુ જલદી ૨૦૦ કરોડની ક્લબમાં પહોંચી શકે છે. આ ફિલ્મે ગયા શુક્રવારે ૧.૧૫ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. આ ફિલ્મને એક મહિનો થવા આવ્યો છે અને એમ છતાં એ બૉક્સ-ઑફિસ પર સારો​ બિઝનેસ કરી શકે છે. આ ફિલ્મ બાદ આવેલી તમામ ફિલ્મ બૉક્સ-ઑફિસ પર નિષ્ફળ રહી છે, પરંતુ ‘ભૂલભુલૈયા 2’ હજી પણ નૉટઆઉટ છે. આ ફિલ્મને ઓટીટી પર રિલીઝ કરવા વિશે કાર્તિક આર્યને કહ્યું કે ‘મારી ‘ભૂલભુલૈયા 2’ની મુસાફરી ખૂબ જ સારી અને સંતોષકારક રહી છે. મને એ જાણીને ખૂબ જ ખુશી છે કે આ ફિલ્મને નેટફ્લિક્સ પર નવું ઘર મળ્યુi છે અને એ હવે દુનિયાભરના દર્શકોને એન્ટરટેઇન કરતી રહેશે.’

bollywood news entertainment news kartik aaryan