કોરોનાથી પીડિત લોકોને મદદ કરવા માટે ધનરાશિ એકઠી કરવાનું શરૂ કર્યું રકુલ પ્રીત સિંહે

13 May, 2021 12:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એના માટે તેણે લોકોને પણ યથાશક્તિ મદદ કરવાની અપીલ કરી છે

રકુલ પ્રીત સિંહ

રકુલ પ્રીત સિંહે કોરોના દરદીઓને મદદ કરવા માટે ધનરાશિ એકઠી કરવાનું શરૂ કર્યું છે. એના માટે તેણે લોકોને પણ યથાશક્તિ મદદ કરવાની અપીલ કરી છે. આ રકમથી ઑક્સિજન કૉન્સન્ટ્રેટર્સ, ઑક્સિજન સિલિન્ડર્સ અને એનું રીફિલિંગ પૂરું પાડવામાં આવશે. લોકોને ઓછામાં ઓછા ૧૦૦ રૂપિયા અથવા એનાથી વધારે રકમ દાન કરવા કહ્યું છે. એ વિશે વધુ માહિતી આપતાં રકુલ પ્રીત સિંહે કહ્યું હતું કે ‘દેશમાં હાલમાં જે પ્રકારની સ્થિતિ સર્જાઈ છે એ ખરેખર દુઃખદાયક છે. દરરોજ આપણે દિલને હચમચાવનાર લોકોની સ્ટ્રગલની સ્ટોરીઝ જોઈએ છીએ. તેઓ ઑક્સિજનની અછત, બેડ્સ, દવાઓ અને અન્ય વસ્તુઓ માટે લડાઈ લડી રહ્યા છે. ગિવ ઇન્ડિયા સાથે આ અભિયાનનો ઉદ્દેશ લોકોને સપોર્ટ અને મૂળભૂત જરૂરિયાતો જેવી કે ઑક્સિજનની સપ્લાય અને જીવનરક્ષક સાધનો પૂરાં પાડવાનો છે. અમે સૌને અપીલ કરીએ છીએ કે તેઓ ૧૦૦ રૂપિયા અથવા શક્ય હોય તો એનાથી વધુની રકમ ડોનેટ કરી શકે છે. ૧૦૦ રૂપિયા દ્વારા પણ ઘણી મદદ મળી શકે છે. એથી આ કપરા સમયમાં આપણે જ્યારે નિસહાય છીએ એવામાં લોકોએ પણ યોગદાન આપવું જોઈએ.’

coronavirus covid19 entertainment news bollywood bollywood news rakul preet singh