મહાવતાર બાબાની ગુફામાં ૭૪ વર્ષના રજનીકાન્ત દોઢ કિલોમીટર જેટલું ચડાણ ચડીને પહોંચ્યા

12 October, 2025 07:48 AM IST  |  Uttarakhand | Gujarati Mid-day Correspondent

તેમણે આધ્યાત્મિક શાંતિ માટે ધ્યાન અને યોગનો પણ અભ્યાસ કર્યો.

સાઉથ સુપરસ્ટાર રજનીકાન્ત આધ્યાત્મિક યાત્રાએ નીકળી પડ્યા છે.

સાઉથ સુપરસ્ટાર રજનીકાન્ત આધ્યાત્મિક યાત્રાએ નીકળી પડ્યા છે. આ યાત્રા દરમ્યાન તેમણે બદ્દરીનાથ અને કર્ણપ્રયાગ સહિત અનેક દેવસ્થાનોમાં દર્શન કર્યાં તેમ જ આશ્રમોની મુલાકાત લીધી છે. ગઈ કાલે તેમણે અલ્મોરાના દ્વારહાટમાં આવેલી મહાવતાર બાબાની ગુફાની મુલાકાત પણ લીધી હતી. આ ગુફા સુધી પહોંચવા ૭૪ વર્ષના રજનીકાન્તે હાથમાં લાકડી લઈને દોઢેક કિલોમીટર જેટલું ચડાણ ચડવાનું કષ્ટ લીધું હતું. આ ગુફા ખાતે પહોંચ્યા પછી રજનીકાન્ત આધ્યાત્મિક ચર્ચા માટે સંતો સાથે બેઠા અને તેમના આશીર્વાદ મેળવ્યા. તેમણે આધ્યાત્મિક શાંતિ માટે ધ્યાન અને યોગનો પણ અભ્યાસ કર્યો.

badrinath kedarnath uttarakhand religious places rajinikanth bollywood buzz bollywood news bollywood entertainment news