પૂજા હેગડે ઇકો-ફ્રેન્ડ્લી સીડ ગણેશ સાથે ગણપતિ ઉત્સવ માટે સજ્જ

10 September, 2026 03:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પૂજા હેગડેએ બીજ ધરાવતી ‘સીડ ગણેશ’ની મૂર્તિ અપનાવીને પર્યાવરણને અનુકૂળ ગણેશોત્સવ ઊજવવાનો સંદેશ આપ્યો છે. વિસર્જન બાદ મૂર્તિમાં રહેલાં બીજમાંથી છોડ ઊગી શકે છે.

પૂજા હેગડે

ગણેશોત્સવની તૈયારીઓ ચાલી રહી છે અને આ વર્ષે શહેરમાં પર્યાવરણને અનુકૂળ રીતે તહેવાર ઊજવવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ઍક્ટ્રેસ પૂજા હેગડે પણ આ પહેલનો ભાગ બની છે. તેણે બીજ ધરાવતી ‘સીડ ગણેશ’ની મૂર્તિ અપનાવીને લોકોને પ્રકૃતિનું ધ્યાન રાખીને તહેવાર ઊજવવા માટે પ્રોત્સાહિત કર્યા છે. તહેવાર બાદ મૂર્તિના વિસર્જન પછી એમાં રહેલાં બીજમાંથી છોડ ઊગી શકે છે. પરંપરાગત મૂર્તિઓમાં કેટલીક એવી સામગ્રીનો ઉપયોગ થાય છે જે વિસર્જન દરમ્યાન જળાશયો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. એની સરખામણીમાં બીજ ધરાવતી મૂર્તિઓ પર્યાવરણને નુકસાન ઓછું થાય એવો જવાબદાર વિકલ્પ પૂરો પાડે છે.

શું છે સીડ ગણેશનો કન્સેપ્ટ?

‘સીડ ગણેશ’નો કન્સેપ્ટ ભક્તિ સાથે પર્યાવરણની જાળવણીને જોડે છે. ગણેશોત્સવ પૂર્ણ થયા બાદ ભક્તો મૂર્તિને માટી ભરેલા કૂંડા અથવા પાત્રમાં વિસર્જિત કરી શકે છે. ત્યાર બાદ નિયમિત સંભાળ અને પાણી આપવાથી મૂર્તિમાં રહેલાં બીજ અંકુરિત થઈને છોડનું સ્વરૂપ લઈ શકે છે. આ રીતે પરંપરાગત વિસર્જનવિધિને પર્યાવરણને અનુકૂળ નવો અર્થ મળે છે અને ભક્તો જીવંત છોડના રૂપમાં ભગવાન ગણેશ સાથે પોતાનું જોડાણ જાળવી શકે છે.

pooja hegde ganesh chaturthi entertainment news bollywood controversies bollywood buzz bollywood news bollywood movie review bollywood gossips bollywood events bollywood