પર્સનલ અને પ્રોફેશનલ લાઇફમાં ખુશ છે કિયારા

02 July, 2022 03:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે બ્રેકઅપની ચર્ચાએ ખાસ્સો વેગ પકડ્યો છે

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી

કિયારા અડવાણીએ જણાવ્યું છે કે તે તેની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફમાં ખુશ છે. સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે બ્રેકઅપની ચર્ચાએ ખાસ્સો વેગ પકડ્યો છે. જોકે બન્નેમાંથી એકેયે પણ પોતાના રિલેશનને લઈને ખુલાસો નથી કર્યો. આ બન્નેએ ‘શેરશાહ’માં સાથે કામ કર્યું હતું. તેમના ફૅન્સ તેમના રિલેશન સ્ટેટસને જાણવા માટે આતુર છે. હવે એવું પણ જાણવા મળ્યું છે કે તેઓ કદાચ એક રોમૅન્ટિક ફિલ્મમાં કામ કરી શકે છે, પરંતુ એની ચોક્કસ માહિતી નથી મળી શકી. તેના બ્રેકઅપની અફવા વિશે પૂછવામાં આવતાં કિયારાએ કહ્યું કે ‘હું એ વિશે કંઈ નથી કહેવા માગતી. લોકો એ બધું પણ લખે છે જે મેં કહ્યું જ નથી. એથી હું જ્યારે પણ કંઈ કહું છું તો ખબર નહીં કે લોકો શું લખશે. મને જ્યારે જરૂર લાગશે ત્યારે હું એ મુદ્દા પર વાત કરીશ. વર્તમાનમાં તો હું મારી પર્સનલ અને પ્રોફેશનલ લાઇફમાં ખુશ છું.’

entertainment news bollywood bollywood news bollywood gossips sidharth malhotra kiara advani