16 January, 2026 03:12 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કાર્તિક આર્યન
કાર્તિક આર્યન પોતાની આવનારી ફિલ્મ ‘નાગઝિલા’ને લઈને ચર્ચામાં છે. તેની અનન્યા પાંડે સાથેની છેલ્લી ફિલ્મ ‘તૂ મેરી મૈં તેરા, મૈં તેરા તૂ મેરી’ સંપૂર્ણપણે ફ્લૉપ સાબિત થઈ છે. એ પછી કાર્તિક પોતાનું સંપૂર્ણ ફોકસ આવનારા પ્રોજેક્ટ્સ પર કેન્દ્રિત કરવા માગે છે.
રિપોર્ટ પ્રમાણે ‘તૂ મેરી મૈં તેરા, મૈં તેરા તૂ મેરી’ ફ્લૉપ સાબિત થતાં કાર્તિકે આ ફિલ્મની ફીમાં ૧૫ કરોડ રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપ્યું છે. બૉલીવુડ સાથે સંકળાયેલી વ્યક્તિએ જણાવ્યું હતું કે ‘કાર્તિકે ફિલ્મની નિષ્ફળતાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો હતો અને ફિલ્મ રિલીઝ થયા પછી થોડા દિવસોમાં જ તેણે આ પગલું ભર્યું હતું. કાર્તિકના આ પગલાથી પ્રોડ્યુસર્સને થયેલા નુકસાનમાં ઘણી મદદ મળશે. આ પહેલાં પણ કાર્તિકે તેની ફિલ્મ ‘શાહઝાદા’ બૉક્સ-ઑફિસ પર ફ્લૉપ થઈ હતી ત્યારે ફીનો મોટો ભાગ છોડી દીધો હતો.