કોરોનાને મહાત આપી કપૂર સિસ્ટર્સે

13 January, 2022 06:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અમે હવે બીએમસીના નિયમો પ્રમાણે હોમ આઇસોલેશનનો સમય પૂરો કરી લીધો છે. અમારો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો છે. શરૂઆતના બે દિવસ અઘરા હતા. બાદમાં દરરોજ સુધારો થતો હતો.

કોરોનાને મહાત આપી કપૂર સિસ્ટર્સે

જાહ્નવી કપૂર અને તેની બહેન ખુશી કપૂર કોરોનામાંથી રિકવર થઈ ગઈ છે. આ બન્નેને કોરોના થતાં તેઓ ઘરમાં જ ક્વૉરન્ટીન હતી. તેમના ભાઈ અર્જુન કપૂર અને બહેન અંશુલા કપૂરને પણ કોવિડ થયો છે. કોરોના થયો હોવાની માહિતી જાહ્નવીએ સોશ્યલ મીડિયામાં આપી હતી. હવે આઇસોલેશનનો સમય પૂરો થવાની માહિતી ઇન્સ્ટાસ્ટોરી પર આપતાં જાહ્નવીએ કૅપ્શન આપી હતી, ‘મારી અને મારી બહેનની કોવિડ-19ની ટેસ્ટ ત્રીજી જાન્યુઆરીએ પૉઝિટિવ આવી હતી. અમે હવે બીએમસીના નિયમો પ્રમાણે હોમ આઇસોલેશનનો સમય પૂરો કરી લીધો છે. અમારો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો છે. શરૂઆતના બે દિવસ અઘરા હતા. બાદમાં દરરોજ સુધારો થતો હતો. આ વાઇરસથી બચવાનો એક જ ઉપાય છે કે માસ્ક પહેરો અને વૅક્સિન લો. પોતાની કાળજી રાખો.’

bollywood news bollywood bollywood gossips entertainment news coronavirus covid19