09 April, 2021 12:19 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સલમાન ખાન
‘રાધે : યૉર મોસ્ટ વૉન્ટેડ ભાઈ’ને કદાચ આવતા વર્ષે ઈદમાં રિલીઝ કરવામાં આવે એવી શક્યતા સલમાન ખાને વ્યક્ત કરી છે. મહારાષ્ટ્રમાં કોરોનાને કારણે લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. સલમાન દર વર્ષે ઈદમાં તેના ફૅન્સ માટે ફિલ્મ લઈને આવે છે. તેના ફૅન્સ તેની ફિલ્મની આતુરતાથી રાહ જોતા હોય છે. એવામાં ‘રાધે : યૉર મોસ્ટ વૉન્ટેડ ભાઈ’ની રિલીઝ વિશે સલમાને કહ્યું હતું કે ‘જો કોરોનાનો કેર ઓછો થશે તો અમે આ વર્ષે ઈદમાં થિયેટર્સમાં ‘રાધે : યૉર મોસ્ટ વૉન્ટેડ ભાઈ’ને રિલીઝ કરીશું. જોકે જો નાગરિકોએ તમામ નિયમોનું પાલન ન કર્યું તો થિયેટરમાલિકોની સાથે રોજનું કમાઈને ખાતા મજૂરો માટે સમસ્યા નિર્માણ થશે. એ ખરેખર પહેલાંની જેમ જ ખૂબ ભયાનક થવાનું છે. દરેકે એની ગંભીરતાની નોંધ લઈને આ વાઇરસનો ખાતમો કરવો જોઈએ. સાથે જ એ આપણને મારી નાખે એ પહેલાં લાઇફમાં આગળ વધો. સૌથી અગત્યની વાત એ છે કે મહામારીને કારણે અમે ગઈ ઈદમાં પ્રૉમિસ કર્યું હતું કે ‘રાધે : યૉર મોસ્ટ વૉન્ટેડ ભાઈ’ને આ ઈદમાં રિલીઝ કરવામાં આવશે. ફિલ્મને જરૂર રિલીઝ કરીશું. ભગવાનની કૃપા રહી તો એ બૉક્સ-ઑફિસ પર સારી ચાલશે. એ ત્યારે જ શક્ય થશે જ્યારે લોકોને કોરોના ન થાય. ખાસ કરીને પેરન્ટ્સ અને ગ્રૅન્ડ-પેરન્ટ્સ જેમની મેડિકલ કન્ડિશન સારી નથી.’