લગ્ન કરીશ તો તિરુપતિમાં જ કરીશ : પ્રભાસ

08 June, 2023 04:48 PM IST  |  Tirupati | Gujarati Mid-day Correspondent

પ્રભાસની ઇચ્છા છે કે તે જ્યારે પણ લગ્ન કરશે તો તિરુપતિમાં કરશે

પ્રભાસ

પ્રભાસની ઇચ્છા છે કે તે જ્યારે પણ લગ્ન કરશે તો તિરુપતિમાં કરશે. તેની આગામી ફિલ્મ ‘આદિપુરુષ’ ૧૬ જૂને રિલીઝ થવાની છે. એ અગાઉ હાલમાં જ પ્રભાસ તિરુપતિમાં બાલાજી ભગવાનનાં દર્શને ગયો હતો. બાલાજી ભગવાન પ્રત્યે તેને અતૂટ શ્રદ્ધા છે. આ જ કારણ છે કે પોતાના જીવનના મહત્ત્વના તબક્કાની શરૂઆત ત્યાંથી કરવાનો તેણે નિર્ણય લીધો છે. તેને લગ્નના પ્લાન વિશે પૂછવામાં આવ્યું હતું. એનો જવાબ આપતાં પ્રભાસે કહ્યું કે હું જ્યારે પણ લગ્ન કરીશ તો તિરુપતિમાં કરીશ.

prabhas tirupati bollywood news bollywood entertainment news