28 January, 2022 02:02 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
લતા મંગેશકરની હેલ્થ માટે હવન કરાવ્યો શંકર મહાદેવને
લતા મંગેશકરની હેલ્થ માટે શંકર મહાદેવને હવન કરાવ્યો હતો. તેમની સાથે આણંદજી વીરજી શાહ અને ‘સા રે ગા મા પા’ના સ્પર્ધકોએ પણ હાજરી આપી હતી. લતા મંગેશકરને કોરોના થતાં હૉસ્પિટલમાં આઇસીયુમાં ઍડ્મિટ કરવામાં આવ્યાં હતાં. તેમને હવે વેન્ટિલેટર પર રાખવામાં નથી આવ્યાં, પરંતુ તેઓ હજી પણ આઇસીયુમાં છે. લતા મંગેશકર માટે એક સ્પેશ્યલ ટ્રિબ્યુટ એપિસોડ પણ રાખવામાં આવ્યો છે જેમાં આણંદજી વીરજી શાહ એક ગેસ્ટ તરીકે આવવાના હતા. જોકે તેમને લતા મંગેશકરની હેલ્થ માટે હવન રાખવામાં આવ્યો છે એ વિશે ખબર પડતાં તેમણે એમાં પણ હાજરી આપી હતી. આ વિશે શંકર મહાદેવને કહ્યું હતું કે ‘અમે પ્રાર્થના કરી હતી કે આપણી પૉઝિટિવ એનર્જી યુનિવર્સ સુધી પહોંચે અને આપણી સરસ્વતીજી એટલે કે લતા મંગેશકરજી જલદી ઘરે સ્વસ્થ થઈને આવી જાય.’