અનિલ કપૂરથી લઈ વિવેક અગ્નિહોત્રી રાજુ શ્રીવાસ્તવના નિધનથી આઘાતમાં, જાણો કોણે શું કહ્યું

21 September, 2022 02:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

લાંબા સમયથી વેન્ટિલેટર રહેલા કૉમેડિયન રાજુ શ્રીવાસ્તવે આખરે દિલ્હીમાં દમ તોડ્યો હતો. તેમના નિધનથી સમગ્ર દેશ આઘાતમાં છે. બૉલીવૂડ સેલેબ્સ રાજુ શ્રીવાસ્તવના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યાં છે.

રાજુ શ્રીવાસ્તવ

બધાને ચહેરા પર હાસ્ય લાવનાર રાજુ શ્રીવાસ્તવ(Raju Srivastava)એ તમાની આંખો ભીની કરી છે. લાંબા સમયથી વેન્ટિલેટર રહેલા કૉમેડિયન રાજુ શ્રીવાસ્તવે આખરે દિલ્હીમાં દમ તોડ્યો હતો. તેમના નિધનથી સમગ્ર દેશ આઘાતમાં છે. તે એક ઉમદા હાસ્ય કલાકાર તો હતાં જ, સાથે સાથે એક સારી વ્યક્તિ પણ હતાં. તેમના નિધન પર નેતાઓથી લઈ અભિનેતાએ કલાકારો શોક વ્યક્ત કરી રહ્યાં છે. 

જાણીતા લેખક કુમાર વિશ્વાસે પોતાની આગવી શૈલીમાં રાજી શ્રીવાસ્તવને શ્રદ્ધાંજલિ આપી છે. કુમાર વિશ્વાસે ટ્વીટ કરીને લખ્યું, `રાજુ ભાઈએ આખરે ભગવાનની દુનિયાની ઉદાસી સામે લડવા માટે સાંસારિક યાત્રામાંથી બ્રેક લીધો છે. સંઘર્ષના દિવસોથી લઈને ખ્યાતિના શિખર સુધીની તેમની સફરના સેંકડો સંસ્મરણો આંખો સમક્ષ તરવરતા હોય છે. દુઃખી લોકોને સ્મિતની દિવ્ય ભેટ આપનાર સિકંદર ભાઈને સલામ.`

અભિનેતા રાજપાલ યાદવે  પણ કૉમેડિયનના નિધન પર દુઃખ વ્યક્ત કર્યુ છે. તેમણે ટ્વિટર પર રાજુ શ્રીવાસ્તવની તસવીર શેર કરી ઈમોશનલ પોસ્ટ લખી છે. 

ફિલ્મ ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ પણ  રાજુ શ્રીવાસ્તવના નિધન પર દુઃખ વ્યક્ત કર્યુ છે. 

બૉલિવૂડ દિગ્ગજ અભિનેતા અનિલ કપૂર રાજુ શ્રીવાસ્તવા નિધનથી આઘાતમાં છે. 

તસવીર: અનિલ કપૂર ઈન્સ્ટાગ્રામ

bollywood news anil kapoor vivek agnihotri raju shrivastav