17 April, 2024 06:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આયુષ શર્મા
આયુષ શર્મા તેની આગામી ફિલ્મ ‘રુસલાન’ને પ્રમોટ કરવા માટે સાત દિવસમાં સાત શહેરની મુલાકાત લેશે. બૉક્સ-ઑફિસ પર હાલમાં ફિલ્મો નથી સારો દેખાવ કરી રહી. તહેવાર હોવા છતાં બે મેજર ફિલ્મોના બિઝનેસમાં ખૂબ જ ઓછો વકરો જોવા મળ્યો છે. આથી આયુષ તેની ‘રુસલાન’ને પ્રમોટ કરવા માટે દિલ્હી, કલકત્તા, અમદાવાદ, લખનઉ, હૈદરાબાદ, નોએડા અને ઇન્દોર જશે. આ તમામ શહેરમાં તે સાત દિવસની અંદર જશે. ૨૬ એપ્રિલે રિલીઝ થઈ રહેલી આ ફિલ્મનું પ્રમોશન તે આજથી કરવાનો છે. આ વિશે આયુષ કહે છે, ‘મારા માટે ‘રુસલાન’ ફક્ત એક ઇવેન્ટ નથી, પરંતુ લોકો દરેક પ્રકારના લોકો સાથે કનેક્ટ થવાની એક તક છે. અમે અમદાવાદથી કલકત્તા સુધી ઘણાં શેહરમાં જઈશું. મારી આ ટૂરને લઈને મને દર્શકો સાથે પર્સનલ લેવલ પર કનેક્ટ કરવાની તક મળશે.’