19 April, 2021 11:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નીલ નીતિન મુકેશ, અર્જુન રામપાલ
અર્જુન રામપાલ અને નીલ નીતિન મુકેશની ફૅમિલી કોરોના પૉઝિટિવ થઈ છે. એની માહિતી બન્નેએ સોશ્યલ મીડિયામાં આપી છે. એથી તેઓ ઘરમાં ક્વૉરન્ટીન થયા છે. ઇન્સ્ટાગ્રામ પર અર્જુન રામપાલે નોટ શૅર કરીને લખ્યું હતું કે ‘મારો કોવિડ-19નો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. મારામાં એનાં ખૂબ ઓછાં લક્ષણો છે. મેં મારી જાતને ઘરમાં ક્વૉરન્ટીન કરી છે. સાથે જ તમામ દવાઓ લઈ રહ્યો છું. જરૂરી હોય એવા તમામ નિયમોનું હું પાલન કરું છું. છેલ્લા ૧૦ દિવસોમાં જે પણ મારા સંપર્કમાં આવ્યા હોય તેમને મારી વિનંતી છે કે તેઓ પૂરતી કાળજી લે અને તમામ પ્રકારની દરકાર લે. આપણા માટે આ ખૂબ ભયાનક સમય આવ્યો છે. જો આપણે ધ્યાન રાખીએ તો એ આપણા માટે હિતાવહ છે. એનો લાભ આપણને ભવિષ્યમાં મળવાનો છે. આપણે સાથે મળીને કોરોનાને હરાવીશું.’
સાથે જ ઇન્સ્ટાગ્રામ પર નીલ નીતિન મુકેશે નોટ શૅર કરીને લખ્યું હતું કે ‘તમામ પ્રકારની સાવચેતી, ઘરે રહેવા છતાં પણ દુર્ભાગ્યવશે મારી ફૅમિલી અને મારો કોવિડ-19નો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે.
અમે બધા ઘરમાં ક્વૉરન્ટીન છીએ. તમામ નિયમોનું પાલન કરીએ છીએ અને ડૉક્ટર્સની સલાહ મુજબ દવાઓ લઈ રહ્યા છીએ.’