શોલેની ટિકિટ અમિતાભ બચ્ચને આજે પણ સાચવી છે; કહ્યું:હવે આ ભાવમાં કૉલ્ડ ડ્રિન્ક...

29 July, 2025 06:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Amitabh Bachchan shares Sholay Ticket: મેગાસ્ટાર અમિતાભ બચ્ચને તેમની 1970ની બ્લૉકબસ્ટર ફિલ્મ `શોલે`ની જૂની સિનેમા હૉલ ટિકિટનો ફોટો પોસ્ટ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે તે સમયે આ ટિકિટની કિંમત ફક્ત ૨૦ રૂપિયા હતી. જુઓ ટિકિટનો ફોટો...

અમિતાભ બચ્ચને શૅર કરેલી શોલે ફિલ્મની ટિકિટ (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)

મેગાસ્ટાર અમિતાભ બચ્ચને તેમની 1970ની બ્લૉકબસ્ટર ફિલ્મ `શોલે`ની જૂની સિનેમા હૉલ ટિકિટનો ફોટો પોસ્ટ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે તે સમયે આ ટિકિટની કિંમત ફક્ત ૨૦ રૂપિયા હતી. અમિતાભે તેમના બ્લૉગમાં તેમના મુંબઈ નિવાસસ્થાનની બહાર ચાહકો સાથેની તેમની સાપ્તાહિક મુલાકાતની કેટલીક તસવીરો પણ શૅર કરી હતી અને `શોલે` ટિકિટનો ફોટો પણ બતાવ્યો હતો, જેને તેમણે ખૂબ જ કાળજીપૂર્વક સાચવી રાખ્યો છે.

પોતાના બ્લૉગ સોશિયલ મીડિયા પર તેમણે લખ્યું, "શોલેની ટિકિટ... જે સાચવી રાખવામાં આવી છે અને જે ઉપરોક્ત વાતને સાચી સાબિત કરે છે... તેની કિંમત ફક્ત 20 રૂપિયા છે." અમિતાભને આશ્ચર્ય થાય છે કે તે સમયે ફિલ્મની ટિકિટ 20 રૂપિયા હતી અને હવે તે જ કિંમતે, તમને હૉલમાં એક કૉલ્ડ ડ્રિન્ક પણ નથી મળતું.

શોલેની જૂની ટિકિટ
તેમણે આગળ લખ્યું, "મને કહેવામાં આવ્યું છે કે આજકાલ સિનેમા હૉલમાં ઠંડા પીણાની કિંમત આ છે... શું આ સાચું છે? કહેવા માટે ઘણું બધું છે, પણ હું તે નથી કહી રહ્યો... પ્રેમ અને આદર."

શોલે વિશે
તમને જણાવી દઈએ કે `શોલે` એક રોમાંચક એક્શન-એડવેન્ચર ફિલ્મ હતી, જેનું દિગ્દર્શન રમેશ સિપ્પીએ કર્યું હતું. તેની વાર્તા બે મિત્રો, વીરુ અને જય વિશે છે, જેઓ નાના-મોત ગુનેગારો છે. નિવૃત્ત પોલીસ અધિકારી ઠાકુર બલદેવ સિંહ તેમને કામ પર રાખે છે, જેથી તેઓ ખતરનાક ડાકુ ગબ્બર સિંહને પકડી શકે. તે બંને પોતાની હિંમત, મિત્રતા અને હોશિયારીથી ગબ્બરને પડકાર આપે છે. આ દરમિયાન, ઠાકુર સાથે જોડાયેલા કેટલાક રહસ્યો પણ ખુલે છે. આ ફિલ્મ હજી પણ દર્શકોના હૃદયમાં ખાસ સ્થાન ધરાવે છે.

બ્લોગમાં ઉલ્લેખ
અમિતાભ બચ્ચને તેમના બ્લોગમાં જણાવ્યું હતું કે રાત્રે સર્જનાત્મકતા અને વિચારસરણીનો એક ખાસ જાદુ હોય છે. તેમણે કહ્યું કે જ્યારે આસપાસ શાંતિ હોય છે અથવા બધા શાંત હોય છે, ત્યારે મન સૌથી સ્પષ્ટ અને ઝડપી વિચારી શકે છે.

ઘોંઘાટ વચ્ચે એકલતા
તેમણે કહ્યું, “આ એવો સમય છે જ્યારે શાંતિ હોય છે અને આપણે જાગતા હોઈએ છીએ... તે એક રહસ્ય છે, ખરું ને? મોડી રાત એ વિચારવાનો અને સમજવાનો શ્રેષ્ઠ સમય છે. આ અંગે ઘણા મંતવ્યો છે, પરંતુ બે મુખ્ય બાબતો છે... એક, તમે જે લખો છો તે વધુ સારી રીતે સાંભળી શકો છો અને બીજું, ઘોંઘાટ વચ્ચે તમે એકલતા અનુભવો છો. આ એક અલગ પ્રકારનું વિચાર છે, પરંતુ આશ્ચર્યજનક રીતે, જ્યારે ચારે બાજુ શાંતિ હોય છે ત્યારે મન અને સર્જનાત્મકતા શ્રેષ્ઠ રીતે કાર્ય કરે છે.”

sholay amitabh bachchan social media viral videos twitter photos bollywood buzz bollywood gossips bollywood news bollywood entertainment news