પાનમસાલાની ૯ કરોડની ડીલ ઠુકરાવી કાર્તિક આર્યને

30 August, 2022 01:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

થોડા સમય અગાઉ શાહરુખ ખાન, અજય દેવગન અને અક્ષયકુમાર ‘વિમલ’ની ઍડમાં દેખાતાં લોકોએ તેમને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું

કાર્તિક આર્યન

કાર્તિક આર્યને પાનમસાલાની ૮થી ૯ કરોડ રૂપિયાની ડીલ ઠુકરાવી હોવાનું જાણવા મળ્યું છે. થોડા સમય અગાઉ શાહરુખ ખાન, અજય દેવગન અને અક્ષયકુમાર ‘વિમલ’ની ઍડમાં દેખાતાં લોકોએ તેમને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. આ જ કારણ છે કે હાલમાં કેટલીક સેલિબ્રિટીઝ આવી પ્રોડક્ટને એન્ડોર્સ કરતાં વિચારે છે. કાર્તિકે આવી ઍડ કરવાની ના પાડવાના સમાચારને કન્ફર્મ કરતાં એક ફેમસ ઍડ ગુરુએ કહ્યું કે ‘હા, આ સાચી વાત છે. કાર્તિક આર્યને ૮થી ૯ કરોડ રૂપિયાની પાનમસાલાની ડીલ કરવાની ના પાડી દીધી છે. કાર્તિક કેટલાક આદર્શોને વળગી રહ્યો છે. આવા ખૂબ ઓછા ઍક્ટર્સ જોવા મળે છે જેમને પૈસાની લાલચ ન હોય. આટલી મોટી રકમને ઠુકરાવવી એ મોટી વાત છે. એક યુવા આઇકન હોવાથી કાર્તિકને પોતાની જવાબદારીનું ભાન છે.’
બીજી તરફ સેન્સર બૉર્ડના ભૂતપૂર્વ ચૅરપર્સન અને પ્રોડ્યુસર પહલાજ નિહલાણીએ કહ્યું કે ‘પાનમસાલા લોકોને ખતમ કરી રહ્યા છે. બૉલીવુડના રોલ મૉડલ દ્વારા ગુટકા અને પાનમસાલા ખરીદવા માટે લોકોને પ્રોત્સાહિત કરવા એ રાષ્ટ્રના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ છે.’

પાનમસાલા અને આલ્કોહૉલની ઍડને સર્ટિફિકેટ આપવું એ કાયદાની વિરુદ્ધમાં છે એવું જણાવતાં પહલાજ નિહલાણીએ કહ્યું કે ‘પાનમસાલા અને આલ્કોહૉલની ઍડને સેન્સર બોર્ડ દ્વારા સર્ટિફિકેટ આપવાથી કાયદાનું ઉલ્લંઘન થશે. આ જ કારણ છે કે આવી પ્રોડક્ટ્સને બ્રૉડકાસ્ટ કરવી ગેરકાયદે છે. જે પણ ઍક્ટર્સ આવી ઍડમાં ભાગ લે છે તેમણે જાણી લેવું જોઈએ કે તેઓ ગેરકાયદે પ્રવૃત્તિમાં જોડાઈ રહ્યા છે.’

entertainment news bollywood news bollywood gossip girl kartik aaryan