અમિત શાહ માટે ‘પૃથ્વીરાજ’નું સ્ક્રીનિંગ રાખવામાં આવશે

26 May, 2022 12:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગૃહપ્રધાન અમિત શાહ માટે ૧ જૂને ‘પૃથ્વીરાજ’નું સ્ક્રીનિંગ રાખવામાં આવશે.

અમિત શાહ માટે ‘પૃથ્વીરાજ’નું સ્ક્રીનિંગ રાખવામાં આવશે

ગૃહપ્રધાન અમિત શાહ માટે ૧ જૂને ‘પૃથ્વીરાજ’નું સ્ક્રીનિંગ રાખવામાં આવશે. આ વાતની પુષ્ટિ ફિલ્મના ડિરેક્ટર ડૉ. ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ કરી છે. ફિલ્મને યશરાજ ફિલ્મ્સે પ્રોડ્યુસ કરી છે. આ ઐતિહાસિક ફિલ્મમાં અક્ષયકુમાર, માનુષી છિલ્લર, સોનુ સૂદ અને સંજય દત્ત પણ લીડ રોલમાં જોવા મળવાનાં છે. આ ફિલ્મ ૩ જૂને હિન્દી, તામિલ અને તેલુગુમાં રિલીઝ થવાની છે. હવે ફિલ્મ રિલીઝ થાય એ અગાઉ સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણની શૌર્યની ગાથા ગૃહપ્રધાન અમિત શાહને દેખાડવામાં આવશે. એ વિશે ડૉ. ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ કહ્યું કે ‘હા, આ સાચી વાત છે. અમારા માટે સન્માનની વાત છે કે માનનીય ગૃહપ્રધાન અમિત શાહજી ભારતમાતાના બહાદુર પુત્ર સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણના જીવન પર આધારિત આ ઐતિહાસિક ફિલ્મ જોવાના છે. સમ્રાટે દેશ માટે પોતાના પ્રાણની આહુતિ આપી હતી.’

bollywood news entertainment news amit shah