27 November, 2020 06:34 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્યઃ જાગરણ
ભારતીય ક્રિકેટ કૅપ્ટન વિરાટ કોહલી તેના બાળકના જન્મની સુંદર ક્ષણને અનુભવ કરવા માગે છે. બાળકના જન્મને કારણે પસંદગી સમિતિની બેઠકમાં પ્રથમ ટેસ્ટ મેચ બાદ ઘરે પરત ફરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને તેણે તે અંગે પસંદગીકારોને માહિતી આપી હતી.
આમ વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયામાં વનડે, ટી 20 સિરીઝ અને પ્રથમ ટેસ્ટ મેચ રમ્યા બાદ કોહલી તેના પહેલા બાળકના જન્મને કારણે ઘરે પરત ફરશે.
આ પણ વાચોઃ સિડની વનડેમાં ભારતની 66 રને હાર
કોહલીએ કહ્યું કે, "આ નિર્ણય પસંદગી સમિતિની બેઠકમાં લેવામાં આવ્યો હતો અને મેં પસંદગીકારોને કહ્યું હતું કે હું પ્રથમ ટેસ્ટ મેચ બાદ ઘરે પરત આવીશ. તે આ હકીકત પર સંપૂર્ણપણે આધારિત હતો કારણ કે આપણી બંને પક્ષે ક્વોરેન્ટીન સમયગાળો છે. જ્યારે મારા પ્રથમ બાળકનો જન્મ થાય ત્યારે હું પત્ની સાથે રહેવા માંગતો હતો. "
વિરાટે ઉમેર્યું કે, "આ એક ખૂબ જ ખાસ અને ખૂબ જ સુંદર ક્ષણ છે જેનો હું અનુભવ કરવા માંગુ છું. મારા નિર્ણય પાછળનું આ જ કારણ હતું અને મેં પસંદગી સમિતિની બેઠક દરમિયાન પસંદગીકારોને તે વાતની જાણકારી આપી."