રોહિત પછી હાર્દિક પંડ્યા કૅપ્ટન હોવો જોઈએ, મને તેનામાં ધોનીની ઝલક દેખાય છે : સુરેશ રૈના

01 September, 2025 10:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મને તેનામાં ધોનીની ઝલક દેખાય છે. તે જે રીતે પ્લેયર્સ સાથે વાતચીત કરે છે અને મેદાન પર ઊર્જા લઈને આવે છે એ મને સૌથી વધુ ગમે છે.

હાર્દિક પંડ્યા

ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર સુરેશ રૈનાએ હાર્દિક પંડ્યા વિશે મોટું નિવેદન આપ્યું છે. રોહિત શર્મા બાદ ભારતનો નેક્સ્ટ વન-ડે કૅપ્ટન શુભમન ગિલ હશે કે શ્રેયસ ઐયર એ સવાલનો જવાબ આપતાં સુરેશ રૈનાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે ‘હાર્દિક પંડ્યા વાઇટ-બૉલની ક્રિકેટમાં ધમાલ મચાવી શકે છે. મને તે ભારતનો નેક્સ્ટ વન-ડે કૅપ્ટન લાગે છે. તેની પાસે કપિલ દેવ પાજી જેવો અનુભવ છે; પછી ભલે એ બૅટિંગ હોય, બોલિંગ હોય કે ફીલ્ડિંગ હોય. તે ખૂબ જ સકારાત્મક વ્યક્તિ છે. તે ટીમના પ્લેયર્સની નજીક રહે છે. મને તેનામાં ધોનીની ઝલક દેખાય છે. તે જે રીતે પ્લેયર્સ સાથે વાતચીત કરે છે અને મેદાન પર ઊર્જા લઈને આવે છે એ મને સૌથી વધુ ગમે છે.’

suresh raina hardik pandya rohit sharma indian cricket team cricket news sports news sports board of control for cricket in india shubman gill shreyas iyer kapil dev ms dhoni