22 September, 2021 04:46 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
નટરાજન
IPLમાં ફરી એકવાર કોરોના પોતાનો પગપેસારો કરી રહ્યો છે. ઇન્ડિયવ પ્રીમિયર લીગ (IPL)માં આજે થનારી મેચ પર સંકટના વાદળ ઘેરાઈ રહ્યા છે. દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ મેચના થોડાંક કલાકો પહેલા સનરાઈઝર્સ હૈદરાબાદના ટી. નટરાજન કોરોના સંક્રમિત થયો છે. નટરાજનને આખી ટીમથી જુદો રાખવામાં આવ્યો છે. હાલ તે આઇસોલેશનમાં છે. જો કે, IPL તરફથી ટ્વીચ કરીને માહિતી આપવામાં આવી છે કે આજની મેચ રમાશે.
મેડિકલ ટીમે કુલ છ ખેલાડીઓની ઓળખ કરી છે જેમને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. તેમના નામ છે
1 વિજય શંકર
2 વિજય કુમાર- ટીમ મેનેજર
3. શ્યામ સુંદર જે - ફિઝિયોથેરેપિસ્ટ
4. અંજના વી. - ડૉક્ટર
5. તુષાર કેદાર- લૉજિસ્ટિક્સ મેનેજર
6. પી. ગણેશન - નેટ બોલર
અન્ય ખેલાડીઓ અને અન્ય લોકોના આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા છે અને તેમના ટેસ્ટ રિપૉર્ટ નેગેટિવ આવ્યા છે. IPLના ટ્વિટર હેન્ડલ પરથી માહિતી આપાવમાં આવી છે કે આજે સાંજે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં થનારી સનરાઇઝર્સ અને દિલ્હી કેપિટર્સની મેચ નક્કી કરેલા સમયે થશે.