04 February, 2022 01:53 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણે
બૅટિંગમાં ફૉર્મ ગુમાવી બેઠેલા ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણે વિશે બીસીસીઆઇના પ્રમુખ સૌરવ ગાંગુલીએ એક જાણીતા સ્પોર્ટ્સ મૅગેઝિનને મુલાકાતમાં કહ્યું છે કે ‘એ બન્ને ખૂબ સારા પ્લેયર છે. મને આશા છે અને ખાતરી પણ છે કે તેઓ રણજી ટ્રોફીમાં પાછા રમીને પુષ્કળ રન બનાવશે. તેઓ અગાઉ માત્ર ટેસ્ટ-ક્રિકેટ રમતા હતા ત્યારે રણજીની ઘણી મૅચો રમતા હતા એ જોતાં મને નથી લાગતું કે ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં રમવામાં તેમને કોઈ મુશ્કેલી નડે.’