ત્રીજી ટેસ્ટ પહેલાં રોહિત શર્માએ જાહેર કરી ઇચ્છા...

22 February, 2021 03:18 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

ત્રીજી ટેસ્ટ પહેલાં રોહિત શર્માએ જાહેર કરી ઇચ્છા...

રોહિત શર્મા

મોટેરા સ્ટેડિયમમાં ભારત-ઇંગ્લૅન્ડ વચ્ચે ૨૪ ફેબ્રુઆરીથી ત્રીજી ટેસ્ટ મૅચ શરૂ થવાની છે. નવા રિનોવેટ થયેલા આ સ્ટેડિયમમાં રમાનારી આ પહેલી ઇન્ટરનૅશનલ મૅચ હશે જે ઇશાન્ત શર્માના ટેસ્ટ-કરીઅરની ૧૦૦મી ટેસ્ટ મૅચ બની શકે છે.

આ નવા સ્ટેડિયમની પહેલી મૅચમાં પિચ કેવું પર્ફોર્મ કરશે એ વિશે પોતાનો મત આપતાં રોહિત શર્માએ કહ્યું કે ‘મને નથી લાગતું બીજી ટેસ્ટમાં જે પ્રમાણેની પિચ હતી એનાથી કંઈક અલગ પ્રકારની પિચ અહીં હશે. ઓછા-વત્તા પ્રમાણમાં એ એકસમાન જ હશે અને ટર્ન પણ લગભગ એવો જ હશે. અમે એ પરિસ્થિતિને અનુરૂપ તૈયારી કરી રહ્યા છીએ. મૅચના દિવસે પણ તમારે પિચને ચકાસવી પડશે. સોમવારે પ્રૅક્ટિસ-સેશનમાં અમે અહીંના માહોલથી, લાઇટ્સથી તાલમેલ મેળવવાનો પ્રયાસ કરીશું. અહીંની બેઠક પણ ઘણી શાઇની (ચમકદાર) છે. અમે સૌકોઈ ૧૦-૨૦ મિનિટ પોતાના વ્યક્તિગત તૈયારી કરીને ગ્રાઉન્ડ સાથે ઍડ્જસ્ટ થવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.’

sports sports news cricket news test cricket india england rohit sharma motera stadium