મુંબઈના કૅપ્ટન રોહિત શર્માએ કહ્યું કે મારી જિંદગીની એક સૌથી રોમાંચક મૅચ

03 May, 2021 04:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડિફેન્ડિંગ ચૅમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સે શનિવારે દિલ્હીમાં ચેન્નઈ સુપર કિંગ્સને હાઈ સ્કોરિંગ મૅચમાં ચાર વિકેટે પછડાટ આપી હતી, જેને લીધે મુંબઈના કપ્તાન રોહિત શર્માએ આ મૅચને પોતાના જીવનની એક સૌથી રોમાંચક મૅચ ગણાવી હતી.

રોહિત શર્મા

ડિફેન્ડિંગ ચૅમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સે શનિવારે દિલ્હીમાં ચેન્નઈ સુપર કિંગ્સને હાઈ સ્કોરિંગ મૅચમાં ચાર વિકેટે પછડાટ આપી હતી, જેને લીધે મુંબઈના કપ્તાન રોહિત શર્માએ આ મૅચને પોતાના જીવનની એક સૌથી રોમાંચક મૅચ ગણાવી હતી.

મૅચ જીત્યા બાદ રોહિતે કહ્યું કે ‘મારા જીવનની સૌથી રોમાંચક ટી૨૦ મૅચમાંની આ એક મૅચ હતી. મેદાન ઘણું નાનું હતું એટલે બોલરો માટે કામ થોડું કઠિન થઈ ગયું હતું. મને ભરોસો હતો કે જો કોઈ બૅટ્સમૅન છેલ્લે સુધી ક્રીઝ પર ચીટકી રહેશે તો મૅચ જીતી શકાય એમ છે. કિરોન પોલાર્ડે એ કામ કરી દેખાડ્યું. અમને ખબર હતી કે આ મેદાન બૅટિંગ માટે ઘણું સારું છે એટલે અમે પૂરેપૂરી ૨૦ ઓવર ક્રીઝ પર ટકી રહેવાનો નિર્ણય લીધો હતો. અમે ઘણી સારી શરૂઆત કરી હતી અને પછી કૃણાલ અને પોલાર્ડે ટીમની ઇનિંગ્સ સંભાળી લીધી હતી. ટીમમાં હાર્દિક પંડ્યા અને જેમ્સ નીશામની હાજરીથી જીતવાનો ભરોસો વધી ગયો હતો.’

ipl 2021 indian premier league rohit sharma sports news cricket news