પુણેમાં રમાનારી વન-ડે સિરીઝમાં પ્રેક્ષકોને નો-એન્ટ્રી

28 February, 2021 01:26 PM IST  |  Pune | Gujarati Mid-day Correspondent

પુણેમાં રમાનારી વન-ડે સિરીઝમાં પ્રેક્ષકોને નો-એન્ટ્રી

પ્રતીકાત્મક તસવીર

ઇંગ્લૅન્ડ સામે ટેસ્ટ અને પાંચ ટી૨૦ મૅચની સિરીઝ બાદ ત્રણ વન-ડે મૅચની સિરીઝ પુણેના એમસીએ સ્ટેડિયમમાં ૨૩, ૨૬ અને ૨૮ માર્ચે રમાવાની છે. કોરોનાના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને આ સિરીઝ ખાલી સ્ટેડિયમમાં રમાડવાનો નિર્ણય મહારાષ્ટ્ર ક્રિકેટ અસોસિએશન (એમસીએ) દ્વારા લેવામાં આવ્યો છે. આમ આ સિરીઝમાં પ્રેક્ષકોને પ્રવેશ આપવામાં નહીં આવે. એક અખબારી યાદીમાં એમસીએએ કહ્યું કે ‘મહારાષ્ટ્રમાં વધી રહેલા કોરોનાના કેસને ધ્યાનમાં રાખીને અને માનનીય મુખ્ય પ્રધાનના નિર્દેશ અનુસાર પુણેમાં રમાનારી ત્રણેય વન-ડે મૅચમાં પ્રેક્ષકોને પ્રવેશ આપવામાં નહીં આવે.’ આ ઉપરાંત રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ એમસીએને ખેલાડીઓની તમામ પ્રકારની સુરક્ષા અને એ માટે જરૂરી પગલાં લેવાનો આદેશ આપ્યો છે.

sports sports news cricket news t20 india england pune