09 June, 2020 03:34 PM IST | Lahore | Gujarati Mid-day Correspondent
પાકિસ્તાનના ભૂતપૂર્વ કૅપ્ટન આમિર સોહેલનું કહેવું છે કે જાવેદ મિયાંદાદની જેમ વિરાટ કોહલી પણ તેના ટીમમૅટ્સને ઇમ્પ્રૂવ કરવા માટે પ્રેરિત કરે છે. પાકિસ્તાનના લેજન્ડરી ક્રિકેટર મિયાંદાદ સાથે તેણે કોહલીની સરખામણી કરી છે. આ વિશે વાત કરતાં આમિર સોહેલે કહ્યું કે ‘મારા માટે સૌથી મહત્ત્વની વાત એ છે કે મોટા પ્લેસર્સ એટલા મહત્ત્વના નથી હોતા. તેઓ અંગત રીતે તો ગ્રેટ હોય છે, પરંતુ તેમની ગ્રેટનેસ ટીમને મદદ નથી આવતી. તમે જ્યારે પાકિસ્તાનના ક્રિકેટના ઇતિહાસની વાત કરો ત્યારે સૌથી પહેલું નામ જાવેદ મિયાંદાદનું આવે. તેમની ગ્રેટનેસની આજે પણ વાત કરવામાં આવે છે, કારણ કે તેઓ તેમની ટીમના અન્ય પ્લેયર્સના લેવલને પણ ઇમ્પ્રૂવ કરતા હતા. તમે જ્યારે તેમની સાથે લાંબી પાર્ટનરશિપ કરો ત્યારે તમને ઘણું શીખવા મળે અને તેઓ તમને વધુ સારા પ્લેયર બનવા માટે પ્રેરિત કરે. આવું જ કોહલી પણ કરી રહ્યો છે. તમે જ્યારે કોહલીની આસપાસ નજર કરો ત્યારે તેની સાથે દરેક પ્લેયર્સમાં તમે ઇમ્પ્રૂવમેન્ટ્સ જોશો. આથી જ કોહલીને ગ્રેટ પ્લેયર તરીકે ઓળખવામાં આવે છે.’